ઘણા લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ માટે જોખમ ભર્યું પગલું ઉઠાવે છે. જેમાં તેનો જીવ પણ જઈ શકે છે. લોકો likes માટે જંગલી જાનવર પાસે ફોટો તેમજ સેલ્ફી લેવા માટે નજીક જતા હોય છે. પરંતુ તેમનું આ પગલું તેમની માટે ઘણીવાર જીવલેણ સાબિત થઈ જતું હોય છે.
આવો જ એક કિસ્સો હાલ ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી રહ્યો છે. એક ફોટોગ્રાફર ગાઢ જંગલમાં એક સિંહ ની નજીક ફોટો ક્લિક કરતો હતો. આ ફોટોગ્રાફર એક સિંહનો ફોટો લેવા માટે તેની નજીક ગયો કે સૌ કોઈ લોકો કરવા લાગ્યા આ યુવકના વખાણ. આપેલ વિડીયો જોયા પછી તમે પણ આ ફોટોગ્રાફર ની પ્રશંસા કરતા અટકશો નહીં.
વાયરલ થયેલા વિડિયો માં આપણે જોઈ શકીએ છીએ કે ફોટોગ્રાફર જંગલમાં પોતાના કેમેરા સાથે જમીન પર સુઈ ગયો છે. તેની બંને બાજુએ ઝાડી ઝાંખરાજોવા મળે છે. જેમાંથી એક પાતળો રસ્તો પસાર થતો દેખાય છે. તેના પર એક સિંહ તેના બાળક સાથે આવતો જોવા મળે છે.
સામાન્ય રીતે સિંહને જોઈને જંગલના કોઈપણ જાનવરો ડરીને ભાગી જતા હોય છે. તેમજ માણસોને પણ સિંહથી ખૂબ જ ડર લાગે છે. એનું નામ પડતાં જ માનવઓ તેમજ જાનવરોમાં પણ એક અલગ જ પ્રકારનો ડર પેદા થઈ જાય છે. પરંતુ આ વિડીયો જોતા લાગે છે કે, આ ફોટોગ્રાફરને સિંહના કોઈ પણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી.
સામેથી સિંહને આવતો જોવા છતાં પણ ફોટોગ્રાફર એકદમ નીડર થઈને ફોટો લેવા માટે સિંહની સામે સુઈ જાય છે. સિંહની સામે પણ તે ગભરાતો નથી અને પોતાનું કામ શરૂ રાખે છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે, સિંહ જેવા માનવ પક્ષી પ્રાણી સામે પણ આ ફોટોગ્રાફર આટલી નીડરતા કઈ રીતે દર્શાવી શકે છે!!?
સામેથી આવતા આ સિંહે ફોટોગ્રાફર પર હુમલો કર્યો કે નહીં તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ ફોટોગ્રાફરની આ નીડરતા અને જુસ્સાની પ્રશંસા સૌ કોઈ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામના એક યુવક દ્વારા share કરવામાં આવ્યો હતો. તેમજ આ વિડીયો અપલોડ કર્યા ના ટૂંક સમયમાં જ આ વિડીયો ખૂબ જ વાયરલ થયો અને તેને હજારો લોકોએ પસંદ કર્યો હતો.
View this post on Instagram
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]