સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી રીતે જશે. તેમજ કેવી રીતે વધુને વધુ પ્રગતિ કરી શકાય, તો અમુક વ્યક્તિને સવાર પડતાની સાથે જ બુમ બરાડા અને રાડો નાખવાની પણ ટેવ હોય છે. સવારના સમયે જેવો સ્વભાવ વ્યક્તિનો હોય તેવો સ્વભાવ તેવોનો આખો દિવસ રહેતો હોય છે..
એનો સવારમાં જ કોઈ દ્રશ્ય એવું જોઈ લેવામાં આવે કે જેને જોતાની સાથે જ હોશ ઉડી જતા હોય તો સમગ્ર દિવસ પણ ખરાબ વીતતો હોય છે. અત્યારે વિધવા મહિલાના પગ ઉભે ઉભા ધ્રુજવા લાગ્યા હતા. આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના રતલામના મંદોસર વિસ્તારની છે. અહીં પદ્માવતી નગરમાં સંતોષબેન નામની વિધવા મહિલા રહેતી હતી..
તેઓ શિક્ષિકા તરીકેની ફરજ બજાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવતી હતી. તેમના પતિ રમેશભાઈનું 2015 ની સાલમાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેઓ પોતાના ઘરે એકલા જ રહેતા હતા. આસપાસમાં પડોશીઓ પણ તેમનો ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેમની વધતી જતી ઉંમરને કારણે ચાલવામાં પણ તેમને તકલીફ પડતી હતી..
તો કોઈ વખત ખૂબ જ થાકનો અનુભવ કરતા આસપાસના પડોશીઓ તેમને જમવાનું પણ બનાવી દેતા હતા. કોઈપણ દુઃખ આપવી પડે અડધી રાત્રે પણ તેઓ આડોસ પાડોશના વ્યક્તિઓની મદદ માગતા અને બાજુમાં રહેતા લોકો માનવતા ખાતર પડોશી ધર્મ નિભાવી તેમની મદદ પણ પહોંચી જતા હતા..
એક દિવસ સવારના સમયે અચાનક જ તેમના ઘરેથી ચીસો સંભળાવવા લાગી હતી. પડોશીઓએ વિચાર્યું કે, સંતોષ બહેન શા માટે બૂમાબૂમ કરી રહ્યા છે. તેઓ સાંભળતો તેમના ઘરે પહોંચ્યા અને સંતોશબેનને પૂછવાની કોશિશ કરી તો તેઓએ જણાવ્યું કે, તેઓ રાત્રિના સમયે ભોજન કર્યા બાદ સુઈ ગયા હતા..
સવારે જાગીને તેઓ બાથરૂમમાં નાહવા માટે જતા હતા. અને બાથરૂમના દરવાજો ખોલી ને જોયું તો જે દ્રશ્ય જોયું તે જોઈને તેવોના પગ ઉભે ઉભા ધ્રુજવા લાગ્યા હતા. તેમની આ વાત સાંભળીને પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા અને તેઓએ પૂછ્યું કે બાથરૂમમાં તમને શું દેખાયુ છે..? ત્યારે તેને જણાવ્યું કે બાથરૂમમાં એક યુવતીની લાશ મળી આવી છે.
આ સાંભળતા જ પડોશીઓના રુવાટા પણ એકાએક બેઠા થઈ ગયા હતા. તેઓ તાબડતોબ બાથરૂમ પાસે પહોંચ્યા અને દરવાજો ખોલીને જોયું તો હકીકતમાં ત્યાં એક યુવતીની લાશ મળી આવી હતી. જ્યારે આ મામલો બન્યો ત્યારે આ પડોસીએ સંતોષ બેહેને કહ્યું કે, આ ઘટનાની જાણકારી તાત્કાલિક ધોરણે પોલીસને આપવી જરૂરી છે..
એટલા માટે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરીને માહિતી આપી હતી કે, પદ્માવતી નગર સોસાયટીમાં સંતોષબેનના ઘરે રહેલા બાથરૂમમાંથી લાશ મળી આવી છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત એફ.એસ.એલની ટીમને પણ ઘટના સ્થળે સબૂત એકઠા કરવા માટે બોલાવી લેવામાં આવી હતી..
ત્યારબાદ તપાસ ચલાવવામાં આવી અને મૃતક યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં પણ ખસેડી દેવામાં આવી હતી. દરેક બાજુએથી તપાસ ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત આસપાસના પડદોશીઓની સાથે સાથે સંતોષ બેનનો પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું.
સંતોશ બહેનનું કહેવું છે કે, તેમનું ઘરનો દરવાજો અંદરની બાજુએથી લોક હતો. આ ઉપરાંત ઘરના તમામ દરવાજા લોક હતા. તો તેમના ઘરમાં મૃત યુવતી કેવી રીતે આવી હશે, તેમજ તેને કોણે મોતને ઘાટ ઉતારી હશે. આ એક રહસ્યમય બાબત બની ગઈ છે. આ કેસને સુઈ જવા માટે જુદી જુદી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને ઉપરાંત તેમના મકાનની પણ તલાસી લેવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]