રોજીંદા જીવનની અંદર આપણે જે કોઈપણ વ્યક્તિની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ તેના ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે ખૂબ જ વિચાર કરવો જોઈએ કારણ કે, મન મૂકીને કરવામાં આવેલો વિશ્વાસ ક્યારે ઉઠી જાય તેનું નક્કી હોતું નથી. અત્યારનો સમય ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે..
કારણ કે ઘણા બધા પરિવારમાંથી કોઈ નાની નાની બાબતોથી માંડીને મોટી બાબતો સુધીના લડાઇ ઝઘડા અને હેરાનગતિઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ, અત્યારે એક પરિવારમાં એવી ઘટના ઘટી છે કે, બિચારા પરિવારને ઈજ્જત આબરૂ ખોવવાનો વારો આવ્યો હતો..
તેમજ પરિવાર વેર વિખેર થઈ ગયો છે, ગિરધરભાઈ અને ગંગાબેન નામના વડીલ વ્યક્તિઓનો પરિવાર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કરુણા પાર્ક સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહીને રાજી ખુશીથી જીવન જીવતા હતા, ગિરધરભાઈના બંને દીકરા હરેશ અને રમેશના પણ લગ્ન થઈ ચૂક્યા હતા..
મોટો દીકરો હરેશ ફેક્ટરીનું કામકાજ સાંભળતો હતો, જ્યારે નાનો દીકરો રમેશ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, ગીરધર ભાઈ નિવૃત્ત વ્યક્તિ હતા. મોટા દીકરા હરેશ અને સંતાનમાં એક દીકરી હતી, આ દીકરી ધોરણ ચારનો અભ્યાસ કરતી હતી, સવારના સમયે હરેશની પત્ની ડીમ્પલ તેની દીકરીને શાળાએ મૂકવા જવા માટે ઘરે જ નીકળી જતી હતી..
પરંતુ ગિરધરભાઈ કેટલાક સમયથી નોટિસ કરી રહ્યા હતા કે, તેમના મોટા દીકરા હરેશની પત્ની ઘરેથી તો નીકળી જાય છે. પરંતુ તેને ઘરે પરત પહોંચવામાં ખૂબ જ વાર લાગી જતી હતી, જ્યારે ગિરધરભાઈ તેના દીકરાની વહુ ને પૂછ્યું કે તમે બાળકીને શાળાએ મૂકવા માટે જાવ છો, પરંતુ પરત આવવામાં શા માટે એટલી બધી વાર લાગી રહી છે..
ત્યારે ડિમ્પલે તેના સસરાને જવાબ આપવાનું ટાળ્યું હતું, ગિરધરભાઈને છેલ્લા ઘણા સમયથી કંઈકને કંઈક મનમાં મૂંઝવણો પેદા થઈ રહી હતી કે, તેના દીકરાની વહુ તેનાથી કંઈક છુપાવી રહી છે. અને સમગ્ર પરિવારને જકમો આપી રહી છે, એક દિવસ પછી રહેવાયું નહીં એટલા માટે તેઓએ તેમના દીકરાની વહુ નો પીછો કરવાનો શરૂ કર્યો હતો..
ડિમ્પલ ઘરેથી તેની દીકરીને શાળાએ મૂકવાના જવાના બહાને નીકળી ચૂકી હતી, અને ત્યારબાદ તેની દીકરીને શાળાએથી મૂકીને તે કોઈ અજાણ્યા વેપારીની સાથે કારની અંદર બેસીને જતી રહી હતી. આ દ્રશ્ય અને ગિરધરભાઈ એ તેમની નજર સામે જોઈ લીધું હતું, તેણે તરત જ તેના નાના દીકરાની પત્ની નીતા ને ફોન કરીને ત્યાં બોલાવી લીધી હતી..
અને નીતા ની સાથે તેઓ ગાડી લઈને તેના મોટા દીકરાની વહુ ડિમ્પલનો પીછો કરવા લાગ્યા હતા અને તે ક્યાં જઈ રહી છે, તેની માહિતી પણ મેળવતા હતા. થોડી દુર જતાની સાથે જ ગિરધરભાઈને ખબર પડી ગઈ કે, તેમના દીકરાની વહુ ડિમ્પલ આ વેપારી સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..
કારણ કે તે આ વેપારીની સાથે ખૂબ જ નજીકથી વર્તન કરી રહી હતી અને તેના લક્ષણો જોતા જ ગિરધરભાઈ ના હોશ ઉડી ગયા હતા, કારણ કે આ બંને વ્યક્તિઓ એક અજાણ્યા બંગલાની અંદર અંદર જતા જોવા મળ્યા હતા. આ ઘટના વિશે ગિરધરભાઈ તરત જ તેના મોટા દીકરા હરેશને ફોન કરીને માહિતી આપી હતી કે, તેની પત્ની અન્ય કોઈ વેપારીની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..
અને તેની સાથે એક સુમસાન બંગલાની અંદર રંગરેલીયા બનાવવા માટે તેઓ અંદર ગયા છે, આ શબ્દ સાંભળતાની સાથે હરેશનો પણ પીતો ગુમાવી બેઠો અને તે સાંભળતો પોતાનું કામકાજ પડતું મૂકીને તેની પત્ની ક્યાં છે, અને કઈ હાલતમાં છે તેની માહિતી મેળવવા માટે ત્યાં પહોંચી ગયો હતો..
અને સૌ કોઈ લોકોએ ડિમ્પલને રંગે હાથે પકડી પાડી હતી. તેની સાથે રહેલો વેપારી અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેમની સોસાયટીમાં રહેતો વેપારી હતું, છેલ્લા ઘણા સમયથી વેપારી અને ડિમ્પલ બંનેને એકબીજા સાથે આંખો મળી ગઈ હતી અને તેઓ પ્રેમ સંબંધ હોય એમાં જોડે ચુક્યા હતા..
ડિમ્પલે તેના પરિવારજનોને ચકમો આપીને બારોબાર પ્રેમ પ્રકરણ શરૂ કરી દીધો હતો, એટલું જ નહીં પરંતુ તે તેના ઘરેથી પૈસાની પણ ચોરી કરીને આ વેપારીને મોજ શોખ કરાવી રહી હતી. જ્યારે આ ઘટના વિશે દરેક લોકોને ખબર પડી ત્યારે નજરે જોનારા ગંગાબેન અને ગિરધરભાઈ તો બેહોશ થઈ ગયા હતા..
આ હચમચાવી દેતી આ ઘટનાને લઈને સમગ્ર કોલોનીમાં દરેક લોકો એલમફેલ વાતો પણ કહેવા લાગ્યા હતા કે, ગિરધરભાઈ તેમના પરિવારમાં જ દીકરાની વહુને સાચવી શક્યા નથી, જેના કારણે તેમના દીકરાની વહુ અન્ય કોઈ વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ચૂકી હતી. આવતીકાલે હજુ પણ તેમના નાના દીકરાની વહુ પણ અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ જશે..
અને કોઈ પણ વ્યક્તિ કશું પણ કરી શકશે નહીં, આવા ફાલતુ વેણ વચનો સાંભળવાનો વારો ગિરધરભાઈનો આવી ગયો હતો. જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ કે જો પરિવારની અંદર દરેક વ્યક્તિઓનો એકબીજા પ્રત્યે સારું આદર્શ ભાવ નહીં હોય તો આવું બનાવનાર સમયમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ બની શકે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]