આજકાલના દેખાદેખીના સમયની અંદર જો સમયની સાથે સાથે ચાલવામાં ન આવે તો કેટલાક લોકો એવું સમજી લેતા હોઈ શકે આ પરિવાર એકદમ ગરીબ પરિવાર છે. તે બીજા પરિવારની બરાબર કમાણી કરી શકતો નથી. એટલા માટે ઘણા બધા લોકો સમાજમાં એકબીજાથી ચડિયાતું દેખાવા માટે મન ફાવે તેટલો ખર્ચો કરે છે..
તેઓ એક પણ વાર તેમની કમાણી ઉપર નજર નાખતા નથી કે, તેઓની કમાણી ઓછી છે. તો તેઓને ખૂબ જ ઓછા રૂપિયાથી પોતાનું ઘર પરિવહન ચલાવી લેવું જોઈએ. ઓછા રૂપિયાની કમાણી હોવા છતાં પણ વધારે પડતો દેખાડો કરવાને કારણે ઘણી બધી વાર વ્યાજે પણ પૈસા લેવાનો વારો આવી જતો હોય છે..
અને આ વ્યાજના પૈસા ચૂકવી ન શકતા અંતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યારે વિશાલ ચંદ્રશેખરભાઈ નામના એક વ્યક્તિ આવી જ ઘટનાની અંદર ફસાઈ ચૂક્યા છે. અને આ ઘટનામાંથી બહાર ન નીકળી શકતા અંતે તેઓએ તેમનો જીવ પણ ગુમાવી દીધો છે. આ ઘટના ગુરુગ્રામની છે..
અહીં આવેલી મીનાક્ષી સોસાયટીની અંદર વિશાલ ચંદ્રશેખર ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમને કુલ સાત દીકરીઓ છે. તેમજ તેમની પત્ની અને તેમના માતા પિતા સાથે રહે છે. તેમને સંતાનમાં કોઈ પણ પુત્ર હતો નહીં, તેમની સાથે દીકરીઓમાંથી ત્રણ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે..
જ્યારે બાકીની બે દીકરીઓના પણ લગ્નનો સમય આવી ચૂક્યો છે. જ્યારે અન્ય દીકરીઓનું હજુ ભણતર ચાલી રહ્યું છે. સાત દીકરીઓથી હરીયાભરીયા આ પરિવારની અંદર પરિવારનું ગુજરાન ચલાવવા માટે કમાણી કરનાર વ્યક્તિ એ માત્ર એક જ હતા. વિશાલ ચંદ્રશેખર ભાઈ એક કંપનીમાં મેનેજર તરીકે કામકાજ કરતા હતા..
તેમની પત્નીનો ઘર વપરાશની અંદર હાથ એટલો બધો છૂટો હતો કે તેઓ મન ફાવે તેમ પૈસાની રેલમછેલ કરી દેતા હતા. વિશાલ ચંદ્રશેખર ભાઈએ ઘણી બધી વાર તેમની પત્નીને સમજાવવાની કોશિશ કરી કે, તેમની કમાણી ખૂબ જ ઓછી છે. એટલા માટે આપણે ખૂબ જ જોઈ વિચારીને ખર્ચો કરવો જોઈએ..
પરંતુ દેખાદેખીને આ સમયની અંદર કોઈપણ વ્યક્તિએ ખર્ચ કરવામાં ધ્યાન રાખ્યું નહીં, એટલા માટે પરિવાર ચલાવવા માટે વિશાલ ચંદ્રશેખર ભાઈએ એક વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. આ વ્યાજની રકમની અંદર તેઓ એવા બધા ફસાઈ ગયા કે તેમાંથી બહાર નીકળી શક્યા નહીં. કદાચ તેઓએ આ ઘટનાની જાણકારી તેમના અન્ય નજીકના વ્યક્તિઓને કરી હોત તો તેઓ આ ચકરડામાંથી બહાર નીકળવામાં તેમની મદદ કરી શકે..
પરંતુ તેઓ અન્ય કોઈ વ્યક્તિને કહી શક્યા નહીં કે, તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને અંદરો અંદર મનથી ગૂંચવાતા રહ્યા અને એક દિવસ તેમના મગજ ઉપર એટલી બધી અસર થઈ ગઈ કે તેમણે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે લખ્યું કે આજે લીધેલા રૂપિયા ચૂકવવાની હવે તેમનામાં ત્રેવડ રહી નથી..
એટલા માટે તેઓ ઝેરી દવા પીઈને આપઘાત કરી રહ્યા છે. તેમની સાથે દીકરીઓ હંમેશા ખુશ રહે તેમજ તેમનો પરિવાર આવનારા સમયની અંદર ખૂબ જ વધારે પ્રગતિ કરે તેવી તેમની ઈચ્છા છે. તેમની સાથે દીકરીઓ હંમેશા એક થઈને દરેક મુશ્કેલીઓનો સામનો કરે અને વિશાલ ચંદ્રશેખરભાઈની પત્નીને સાતમાંથી કોઈ એક દીકરી આશરો આપશે તેવી તેમની અંતિમ ઈચ્છા હતી..
આ ચિઠ્ઠી લખીને તેઓએ જેરી દવા પીઈને આપઘાત કરી લીધો હતો, જ્યારે પરિવારજનોને ખબર પડી કે વિશાલ ચંદ્રશેખરભાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી. ત્યારે પરિવારજનોનું હૈયા ફાટ રુદન જોવા મળ્યું હતું. આ રુદન જોઈને ત્યાં ઉભેલા લોકોના આંતરડા ફાટી ગયા હતા. સાત દીકરીઓનો આ પરિવાર તો દુઃખની આ ઘડી સહન કરી શક્યો નહીં..
સાથે-સાથ દિકરી તેના પિતાના મૃત્યુના બનાવને લઈને એટલી બધી દુઃખી હતી કે, તેનું દુઃખ જોઈને સૌ કોઈ લોકોના રુંવાટા બેઠા થઈ ગયા હતા. ઘણી બધી વાર આવી ઘટનાઓ સામે આવે છે, જેમાં જ્યારે વ્યક્તિ દરેક મુશ્કેલીઓથી કંટાળી જાય ત્યારે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે. કદાચ જો તેઓ તેમની સાથે બનતી મુશ્કેલી ઘટના અન્ય કોઈ વ્યક્તિને જણાવે તો તેમાંથી બહાર નીકળવાનો તોડ મળી જતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]