ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ માં પાંચમા નંબરે આવે છે. એશિયામાં તેના જેટલી સંપત્તિ કોઈ પાસે નથી અને તે વિશ્વના સૌથી મોટા અને મોંઘા ઘરમાં રહે છે. તેમાં તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ છે. તેનું નામ છે એન્ટેલિયા અને અંબાણી પરિવારની ભૌતિક સુખ-સુવિધા ની ચર્ચા વિશે તો તમે સાંભળ્યું જ હશે.
હંમેશા તેની ચર્ચા થતી હોય. શું તમે જાણો છો કે મુકેશ અંબાણી ની રસોઈ કરનાર વ્યક્તિને કેટલો પગાર મળે છે? આજે અમે તમને આવી જ કેટલીક રહસ્ય પ્રદ માહિતી રજુ કરવાના છીએ. તો ચાલો જાણીએ. એન્ટીલામાં લગભગ ૬૦૦ માણસોનો સ્ટાફ કામ કરે છે. પરંતુ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી તેમને પોતાના પરિવારના માણસો જ સમજે છે.
આ વાતની તમને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી ના ઘરે કામ કરતા કર્મચારીઓના બાળક અમેરિકામાં અભ્યાસ કરે છે. એક મેગેઝિનમાં એક રિપોર્ટ અનુસાર એન્ટિલિયા માં કામ કરતા સ્ટાફમાંથી કોઈ નો પગાર રૂ બે લાખ કરતા ઓછી નથી.
ઘરની રસોઈ બનાવનાર વ્યક્તિ ને પણ મહિને બે લાખ કરતાં તો ઓછા મળતા નહીં જ હોય મુકેશ અંબાણી સ્ટાફને સેલેરી ઉપરાંત એજ્યુકેશન અને વીમા જેવી સુવિધાઓ પણ આપે છે. જો તમે એમ વિચારતા હશો કે બે લાખનો પગાર લેવા વાળો વ્યક્તિ કાયમી 56 જાતના ભોજન બનાવતા હશે તો તે અત્યંત ખોટું છે. મુકેશ અંબાણી એકદમ સાદુ ભોજન જમે છે. તે પરંપરાગત ગુજરાતી વાનગીઓ જમે છે. તેમને અત્યંત સાદું ભોજન જ પસંદ છે.
તેમને તે ઉપરાંત ઇડલી સંભાર પણ ખૂબ ભાવે છે અને મુકેશ અંબાણી ઘણીવાર જાતે પણ ભોજન બનાવે છે. એક મીડિયાને ઇન્ટરવ્યૂમાં આપેલા પ્રશ્નના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમના ઘરે સૌથી સારું ભોજન તેમની દિકરી ઇશા બનાવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]