રોજ બરોજ કેટલાય અકસ્માતો થતા હોઈ છે અને કેટલાય લોકોના જીવ અકસ્માતના કારણે ચાલ્યા જતા હોઈ છે. અકસ્માતોને રોકવા માટે સરકાર રોડ સેફટીના અભિયાનો ચલાવી રહ્યા છે. છતાં પણ લોકોની ઝડપની મજા એ મોતની સજામાં પરિવર્તન પામી જાય છે. હાલ થાણે જીલ્લામાં એક એવો જ કિસ્સો બન્યો છે…
થાણે જિલ્લાના કલ્યાણ રેલ્વે સ્ટેશન પર એક લોકો પાયલટની સુજબુજના કારણે 70 વર્ષના વડીલનો જીવ બચી ગયો. મુંબઈ-વારાણસી ટ્રેન રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન, પાટા ઓળંગતી વખતે એક વડીલ સાથે ટ્રેન અથડાઈ હતી, પાયલટે વડીલને જોતા જ ઈમરજન્સી બ્રેક લગાવી હતી…
શરૂઆતમાં તો ત્યાં ઉભેલા લોકોને થયું કે, વડીલ નક્કી ટ્રેન નીચે આવી જ જશે.. પરતું પાયલટની સુજબુજના કારણે જ આ વડીલનો જીવ આજે બચી ગયો છે. પરંતુ વૃદ્ધ એન્જિનની નીચે ફસાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રેલવે કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધને બહાર કાઢીને બચાવ્યા હતા.
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બપોરે એક મુંબઈ-વારાણસી ટ્રેન પસાર થઈ રહી હતી, તે દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની નીચે આવી ગયો અને આ જોઈને લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી, જોકે વૃદ્ધ એન્જિનની નીચે ફસાઈ ગયા હતા.
જે બાદ વૃદ્ધોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો લોકો પાયલોટે યોગ્ય સમયે ઈમરજન્સી બ્રેક ન લગાવી હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. મધ્ય રેલવેએ વૃદ્ધોનો જીવ બચાવનાર રેલવે કર્મચારીઓને 2000 રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Alert Loco Pilots of Mumbai-Varanasi train (02193) applied emergency brakes immediately after starting the train from Kalyan station & saved the life of a senior citizen who was crossing tracks.
Please do not cross tracks in an unauthorized manner. It can be fatal. pic.twitter.com/hHCtn9bVIu
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]