Breaking News

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તમામ શ્રદ્ધાળુની દરેક માનતાને માં મોગલ હસતા મુખે પૂર્ણ કરે છે. અહીંયા રોજબરોજ હજારો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મોગલ ના દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે આવી પહોંચતા હોય છે.

મા મોગલના આશ્રમમાં મણિરાજ બાપુ અવારનવાર સૌ કોઈ શ્રદ્ધાળુઓને સાચો ઉપદેશ આપીને મા મોગલને રાજી રાખવાની રીત જણાવતા હોય છે. આ ઉપરાંત કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને માનવતા અને લોકોને મદદરૂપ થવાઈ તે તમામ બાબતોનો ઉપદેશ આપતા હોય છે.

થોડા દિવસ પહેલા દાનાભાઈ લખુભાઈ વાલોતરીયા પોતાના પરિવારજનો સાથે મા મોગલ ધામ કબરાઉ ખાતે પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યા હતા. તેઓ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પેસલપુર ગામમાંથી આવે છે. તેઓની માતાને ખૂબ લાંબા સમયથી બીમારી હતી. દિન પ્રતિદિન ગંભીર બીમારીમાં તેમની માતા સપડાઈ જતા હતા..

મોટા મોટા ડોક્ટરોને પણ બતાવયુ છતાં પણ કોઈ ઈલાજ ન મળતા. તેઓએ મા મોગલ ધામ કબરાઉ ખાતે 17000 રૂપિયાની માનતા રાખી હતી. મા મોગલના આશીર્વાદ અને દાનાભાઈની માં મોગલ પ્રત્યેની આસ્થા અને ભક્તિના કારણે તેમની માતા હાલ બિલકુલ સ્વસ્થ થયા છે. તેઓને હવે કોઈ પણ પ્રકારની બીમારીઓ રહી નથી..

તેઓનું દરેક ધારેલું કામ પૂર્ણ થયું છે. એટલા માટે તેઓ પોતાના પરિવારજનો સાથે દ્વારકાથી મા મોગલ ધામ કબરાઉ ખાતે પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યા છે. અને શ્રી મોગલ કુળ ચારણ ઋષિ મણીધર બાપુના આશીર્વાદ લઇ રહ્યા છે. તેઓને માનતા પૂર્ણ થતા તેઓએ 17000 રૂપિયા મણીધર બાપુને આપ્યા હતા…

મણીધર બાપુએ પૈસા હાથમાં લઈને દાનાભાઈને જણાવ્યું હતું કે, દીકરા તારે કોઈ બહેન છે કે નહીં..? દાનાભાઈએ જણાવ્યું કે, મારે કોઈ સગી બેન નથી. પરંતુ તેમના કાકાની દીકરી બહેન છે. પરંતુ દાનાભાઈ જણાવ્યું કે, આ પૈસા તેઓને મા મોગલ ધામ આશ્રમ કબરાઉ ખાતે અર્પણ કરી દેવા છે..

પરંતુ મણીધર બાપુએ જણાવ્યું કે, તું ઘડીક ઉભો રહે.. કારણ કે તારી માનતા મા મોગલ એ 51 ગણી સ્વીકારી લીધી છે. એટલા માટે આ પૈસામાંથી અડધી રકમ તું તારી કાકાની દીકરીને આપજે અને અડધી રકમ તું તારી પત્નીને આપી દેજે.. મા મોગલ એ તારી માનતા એકાવન ગણી સ્વીકારી લીધી છે..

આ સાથે સાથે મણિધર બાપુએ દાનાભાઈના પરિવારજનોને જણાવ્યું કે, માં મોગલ તમારા ધારેલા કામ કરશે અને તમને સો વર્ષના રાખશે પરંતુ તમારે દવા અને દુઆ ઉપર વિશ્વાસ રાખવો.. ક્યારેય અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ રાખવો નહીં.. જો તમને માતાજી ઉપર ભરોસો હશે તો માતાજી તમારું કામ ચોક્કસ કરશે. એમાં કોઈ ચમત્કારની વાત નથી. પરંતુ આ તમામ બાબત વિશ્વાસ ઉપર રહેલી છે.

આ ઉપરાંત મણીધર બાપુએ જણાવ્યું હતું કે, અહીં કેટલાય લોકો માનતા લેવા માટે અને માનતા પૂર્ણ કરવા માટે આવે છે. કેટલાય લોકો ભેગા થવા માટેની માનતા હોય છે. તો કેટલાય લોકો છૂટા થવા માટેની પણ માનતા લેતા હોય છે. પરંતુ માં મોગલ દરેક સારા કામોને સારી રીતે પૂર્ણ કરે છે.

આ ઉપરાંત મણીધર બાપુએ જણાવ્યું હતું કે, અહી લીધેલી માનતા પૂર્ણ થઈ જાય છે. તે કોઈ ચમત્કાર નથી. પરંતુ લોકોનો વિશ્વાસ છે. માં મોગલ ઉપર લાખો શ્રદ્ધાળુ મન મૂકીને વરસાવી રહ્યા છે. હકીકતમાં માં મોગલના આશ્રમમાં જે ભક્તો જાય છે તેવોઈ દરેક મનોકામના પૂર્ણ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

માં મોગલધામમાં મણીધર બાપુએ માનતા પૂરી કરવા આવેલા પરિવારને આપ્યો સાચો ઉપદેશ, આવી રીતે માં મોગલ કરશે દરેક કામ પુરા.. વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *