આ વર્ષે કુદરતી આફતોને લીધે ખેતીમાં મોટા પાયે નુકસાન થવથી દરેક પાકમાં મોટા પ્રમાણમાં ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. ઉત્પાદન ઓછું થતા વસ્તુની માંગ વધી છે. જેના પગલે આ વર્ષના બજારના ભાવ પાછળના ઘણા વર્ષોના માર્કેટ ભાવ કરતા વધારે છે.. આ વર્ષે ખેડૂતોને દરેક પાકમાં ભારે તેજી મળી છે.
મગફળીના બજારમાં એક મણે 20રૂપિયા થી લઈ ને 35 રૂપિયા સુધીનો જુદો જુદો સુધારો નોંધાયો છે. મગફળીની માંગ બજારમાં ખુબ ઉંચી હોવાથી સરેરાશ લેવાલી ખુબ વધારે છે, પંરતુ સામે બીજી બાજુ વેચવાલી એટલી બધી દેખાતી નથી. જેના પગલે ભાવમાં હજી પણ વધારે વધારો થશે તેવી આશંકાઓ માર્કેટના લોકોએ વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 960 થી 1070 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1050 થી 1260 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2100 છે. તો ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં 940 થી 1240 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ તલોદ માર્કેટિંગ યાર્ડમાં 940 થી 1290 ભાવ રહેલા છે.
ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1030 થી 1250, ધારી 1050 થી 1120, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 890 થી 1150, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1150 થી 1270, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 801 થી 1140, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 670 થી 980, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 870 થી 1260, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 980 થી 1065 સુધીના ભાવ નોંધાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં 870 થી 1110, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 750 થી 1140, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 820 થી 1165, મહુવા 890 થી 1080, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 910 થી 1120, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 1900, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 650 થી 1130 સુધીના ભાવ નોંધાયા છે.
વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 700 થી 1120, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 800 થી 1050, કડી માર્કેટિંગ યાર્ડમાં 970 થી 1210, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 1400, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 920 થી 1260, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1150 થી 1320, વિરમગામ 800 થી 1150 સુધીના ભાવ નોંધાયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]