મોટાભાગે કેસર કેરીની શરૂઆત માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ થઈ જતી હોઈ છે, પરતું પાછળના વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસર કરી માર્કેટમાં આવતા વાર લાગી જશે. કારણ કે અનિયમિત વાતાવરણને કારણે આ વર્ષે બગીચાઓમથી કેસર કેરીના પાકનો ઉતારો જોઈએ તેવો દેખાઈ રહ્યો નથી..
વાવાઝોડા અને માવઠાને કારણે ઘણા બગીચાઓમાં આંબાના ઝાડ પડી જવાની તેમજ ફાલ ઓછો આવાની તકલીફો ઉભી થઇ છે. જે આંબામાં ફાલ વધારે આવ્યો છે એમાં પાકમાં સડો વધુ દેખાઈ છે. એટલે કે આ વર્ષે કેરીના પાકમાં જોઈએ તેવી ગુણવતા નહી મળે. છતાં પણ ભાવ આસમાનની ઊંચાઈઓને અડકી રહ્યા છે..
દર વર્ષે સામાન્ય રીતે કેસર કેરીના ૧૦ કિલોના બોક્સના ભાવ અંદાજે 800 રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધીના જોવા મળતા હતા.. પરંતુ આ વર્ષે 10 કિલોના બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઇને 1800 રૂપિયા સુધી ઊંચો બોલાયો છે. એટલે કે આ વર્ષે ભાવમાં ખૂબ મોટો વધારો થતાં દરેક લોકો આંખો ફાડીને આ ભાવો જોઈ રહ્યા છે.
તો બીજી બાજુ કેસર કેરીના રસિયાઓ પણ ખુબ મોટી મુંજવણમાં મુકાયા છે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરી ના મોટા મોટા વેપારીઓએ જણાવ્યું છે કે, અત્યારે કેરીની સીઝનની પ્રાથમિક શરૂઆત છે. એટલા માટે રોજની આવક ખૂબ ઓછી દેખાઈ રહી છે.
હાલ માર્કેટિંગ યાર્ડ માં રોજના કુલ ૪૦ થી ૫૦ બોક્સ કેરીના આવી રહ્યા છે.. અત્યારે માત્ર જુનાગઢ જીલ્લામાં આવેલા કેરીના બગીચાઓમાંથી જ કેસર કેરીની આવક દેખાઈ છે. જયારે અન્ય રાજ્યમાં હજી કેરી આંબે લટકતી નજરે પણ નથી ચડતી. પાકની અનિયમિતતા આ વર્ષે કેરી રસિકોને ભારે મુંજવણમાં મૂકી દેશે તેવું લાગી રહ્યું છે.
બજારમાં દર વર્ષે કેસર કેરીની માંગ વધતી હોય છે. પરંતુ આ વર્ષે માંગતો ખૂબ ઊંચી છે. અને ઉત્પાદન ખૂબ જ ઓછું છે. એટલા માટે કેસર કેરીના ભાવ આખી સિઝન દરમ્યાન ખૂબ ઊંચા બોલાશે. હાલ જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ડુંગરપુર ગામની કેસર કેરી ની આવક થઈ રહી છે..
ધીમે ધીમે તાલાલા, મેંદરડા, ઉના તેમજ સાસણ ગીરની કેરી પણ દેખાવા લાગશે. આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનને લીધે થી પાછળના તમામ વર્ષો કરતાં ભાવ ખૂબ ઊંચા બોલાશે તેવી આશંકાઓ રહેલી છે. ખરેખર કેરી રસિકો માટે ભાવને લઇને આ ખુબ ખરાબ સમાચાર છે તો કેરીના ખેડુઓ માટે સારા સમાચાર છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]