કેરી એ આપડું રાષ્ટ્રીય ફળ છે. ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેને કેરીનો સ્વાદ ન ભાવતો હોઈ. મોટા ભાગના લોકો કેરી જોતાની સાથે જ તૂટી પડે છે. કેરીની સીઝન આવતા જ કેરી ખાવાના શોખીન બજારમાં સ્વાદિષ્ટ, તાજી અને મધુર કેરીની શોધખોળ કરવા પહોચી જાય છે. પરતું આ વર્ષે કેરીના બજારમાં ભીડ થોડીક ઓછી દેખાઈ તેવું લાગી રહ્યું છે..
કારણ કે આ વર્ષે કેરીના ભાવ સામાન્ય લોકોના ડેબા સોજવાડી દે તેવા છે. ખેડૂત મિત્રો માટે કેરીના ભાવને લઈને ખુશીનો માહોલ છે પરતું ગ્રાહકોમાં કેરીના ભાવને લઈને થોડીક નારાજગી છે. કારણ કે આ વર્ષે જુનાગઢની પ્રખ્યાત કેસર કેરીના ભાવ આસમાનની ઊંચાઈઓને અડકી રહ્યા છે.
વાવાઝોડા અને માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરી બગીચાઓમાં ભરપુર માત્રામાં નુકસાની જોવા મળી હતી. જેના પગલે ઘણા ખરા આંબાઓમાં કેરી આવી જ નથી. તેમજ જે આંબાઓમાં કેરી આવી છે તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે તેમજ પાકમાં સડો અને જીવાનનું પ્રમાણ પણ ખુબ જ દેખાઈ છે..
એટલા માટે આ વર્ષે કેસર કેરીના ભાવ 10 કિલોના બોક્સ પર 1200 રૂપિયાથી લઇને 2000 સુધી જુદા જુદા બોલાઈ રહ્યા છે. જયારે 20 કિલો પેટીના ભાવ 2300 થી લઈને 3500 સુધી પહોચી ગયા છે. માર્કેટયાર્ડમાં રહેલા કેરીના મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીના ભાવ ખુબ જ ઊંચા બોલાઈ રહ્યા છે..
પરતું જેમ જેમ સંપૂર્ણ કેરીની સીઝન શરુ થઇ જશે તેમ તેમ ભાવમાં થોડો ઘણો ઘટાડો પણ આવશે પરતું આ વર્ષે ઉત્પાદન બિલકુલ ઓછું થયું છે એટલા માટે ભાવમાં ઘટાડો ચોક્કસ પણે આવે તેવું નક્કી કહી શકાય નહી.. કેરી ખાવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે, જ્યારે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે.
સારા સમાચાર એ છે કે, જૂનાગઢના ખેતીવાડી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એટલા માટે કેસર કેરી માત્ર એક અઠવાડિયાની અંદર અંદર જ બજારમાં મળવાનું શરૂ થઈ જશે.. પરંતુ ખરાબ સમાચાર એ છે કે, આ વર્ષે પાછળના તમામ વર્ષોકરતા કેસર કેરીના ભાવ એટલા બધા ઊંચા બોલી રહ્યા છે કે સામાન્ય લોકો માટે કેરી ખરીદીને ખાવી ખૂબ જ મુશ્કેલ બની જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]