ઘણી વાર એવું બનતું હોય છે. આપણે રસ્તામાં ઘણા પાગલ લોકો ને જોતા હોઈએ છે. પણ પછી તેને પાગલ સમજી ને આપણે વધુ રસ લેતા નથી ત્યાંથી નીકળી જઈએ છે. પણ એમના જીવન ની પાછળ નું સત્ય સાંભળવામાં બહુ ઓછા લોકો ને રસ હોય છે. આજે અમે તમને એક એવી જ સત્ય ઘટના વિષે જણાવીશું. આ વાત છે એક માણસ ની જે છ મહિના ની કચરા ના ઢેર માં રહેતો હતો. અને લોકો તેને પાગલ સમજતા હતા.
કચરા ના ઢેર માં એક વ્યક્તિ છ મહિના ની પડ્યો હતો. ઘણા સમય થી તેને કઈ ખાધું પીધું ન હતું. લોકો ત્યાંથી નીકળતા અને આ માણસ ને પાગલ સમજી ને લોકો ત્યાંથી નીકળી જતા હતા. કોઈ તેની વાત સાંભળતું ન હતું. એક યુવકની તેના પર નજર પડી અને તેણે આ પાગલ વિષે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ માણસ એ એમને જણાવ્યું કે આ પાગલ માણસ ના માતા પિતાનું મૃત્યુ થઇ ગયું છે. અને તેના લીધે તેનું માનસિક સંતુલન બગડી ગયું છે.
આ વાતની ખબર પડતા પેલા યુવક એ આ પાગલ માણસ ને હોસ્પિટલ માં ભરતી કરાવ્યો. અને પછી પેલા પાગલ સાથે વાત ચિત કરી ત્યારે એમને ખબર પડી કે એમનું નામ વિકાસ યાદવ હતું. અને કંપની પોતાનો કચરો જે જગ્યા એ ઠાલવે છે તે જગ્યા એ તે મળ્યો છે. વિકાસ ને કઈ ખાસ યાદ ન હતું પણ તેની પાસે થી અમુક અંગ્રેજી શબ્દો સાંભળવા મળ્યા અને એક નંબર તેને યાદ હતા.
પછી પેલા યુવક એ આ નંબર ઉપર વીડિઓ કોલ કર્યો. આ નંબર વિકાસના ફૂવા નો હતો પછી વિકાસના ફૂવા એ જણાવ્યું કે વિકાસ ના માંતા પિતા ના મોત પછી તે એકલો પડી ગયો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો તેનો ઈલાજ ચાલુ જ હતો પણ અચાનક તે એક દિવસ ગાયબ થઇ ગયો, અને આજે મળ્યો. પછી વિકાસ ને પેલા યુવક એ તેના પરિવાર સુધી પહોચાડી દીધો. થોડી મહેનત લાગી પણ આ એક ખુબ જ સારું કામ કર્યું પેલા યુવક એ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]