Breaking News

જો આ કામ ન થયું તો 10 થી 15 વર્ષમાં ખતમ થઇ જશે આ દુર્લભ મહાન વાનર…જાણો આ રહસ્ય ભરેલી વાત…

દુનિયામાં ખતમ થનાર છે આ ભૂરા વાળ વાળા આ વાનર, તેમને દુર્લભ વાનરોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેને તાપાનુલી ઓરંગુટાન કહેવામાં આવે છે. આ ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રાના બટાંગ તોરુ પહાડિયો પર સ્થિત જંગલોમાં રહે છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે હજુ તેને વિલુપ્ત થવામાં ખુબ સમય છે. પરંતુ તે ખુબ તેજીથી વિલુપ્ત થઇ રહ્યાં છે.

તાપાનુલી ઓરંગુટાનને ધ ગ્રેટ એપ્સ પણ કહેવામાં આવે છે. વર્ષ 1800થી લઇને અત્યાર સુધી તેમના રહેવાનો વિસ્તાર નાનો થઇ રહ્યો છે. પહેલા ખુબ મોટા વિસ્તારમાં રહેતા હતા. પરંતુ હવે તે બટાંગ તોરુ પહાડના જંગલોમાં માત્ર ત્રણ ટકા ભાગમાં રહે છે. બટાંગ તોરૂમાં આ સમયે 800થી ઓછા તાપાનુલી ઓરંગુટાન બચ્યા છે.

કંજરવેશન સાઇંટિસ્ટ એરિક મીઝાર્ડ કહે છે કે જો આ આબાદીના એક ટકા ભાગ પણ માર્યો જાય અથવા પકડાઇ જાય તો તે ક્યાંય બીજે ચાલ્યા જાય છે. અથવા આ તાપાનુલી ઓરંગુટાનની પ્રજાતિ ખતમ થઇ જશે. એટલે કે તાપાનુલી ઓરંગુટાનની પ્રજાતિ ખતમ થવામાં માત્ર એકથી દોઢ દસક લાગશે. આગલા 10થી 15 વર્ષોમાં ધરતીથી આ ખુબસૂરત વાનર ખતમ થઇ જશે.

તાપાનુલી ઓરંગુટાન બટાંગ તોરુના જંગલોમાં ખુબ મોટા વિસ્તારમાં રહે છે. પરંતુ શિકારીઓના કારણે સિમટાતા માત્ર 3 ટકા ભાગમાં જ બચ્યા છે. આ વિસ્તારમાં રહેતા આ સૌથી જુનો વિસ્તાર છે. આ વાનર જમીન પર રહેવામાં સક્ષમ છે. પરંતુ અનેક વર્ષોથી પહાડો પર જંગલોમાં રહેતા આવ્યા છે. એટલા માટે હવે તેને આ સૂટ કરતું નથી.

તેમની પ્રજાતિ ખતમ હોવાનો ખતરો અચાનકથી કેવી રીતે વધી ગયો. આની પાછળ કારણ બટાંગ તોરુ નદી પર બની રહેલા નવા હાઇડ્રોલેક્ટિક પાવર પ્લાન્ટ છે. 301 એકરમાં બની રહેલા આ પાવર પ્લાન્ટના કારણે તાપાનુલી ઓરંગુટાનની ટોળિઓના એકબીજાને મળવાનું બંધ થઇ જશે. તેનાથી તેમના પ્રજનન અને જેનેટિક ડાઇવર્સિટી પર અસર પડશે. કારણ કે વાનર રાસ્તામાં આવનારી ચીજોને પાર ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી તેમને સુરક્ષિત અનુભવાય…

હાલ કોરોનાના કારણે કંપનીએ નિર્માણ કાર્ય રોકી રાખ્યું છે. આ પ્રોજેક્ટને ચીનથી ફંડીલ મળી રહ્યું હતું. હાલ તે પણ બંધ છે. એટલા માટે કેટલાક વર્ષો સુધી તેનું નિર્માણ તો રોકાયેલું રહેશે. એરિક મીઝાર્ડ અને તેમની ટીમ તેને લઇને ઇન્ડોનેશિયા અને સુમાત્રાની સરકારને રિકવેસ્ટ કરી છે. પાવર પ્લાન્ટનો દાવો હતો કે તેની કારણે આ વાનરો પર કોઇ ખતરો નહીં આવે. પરંતુ ઇન્ટરનેશનલ યુનિયર ફોર કંઝરવેશન ઓન નેચરે તેને ખારીજ કરી દીધો છે. તેના રિપોર્ટમાં પાવર પ્લાન્ટના દાવા ખોટા સાબિત થઇ રહ્યાં છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *