ગુજરાતમાં જુદા જુદા પાકોને ખરીદી માટે જુદા જુદા માર્કેટિંગ યાર્ડ જાણીતું હોય છે. એમાં વાત કરીએ ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા માર્કેટિંગ યાર્ડની તો આ માર્કેટિંગ યાર્ડ એશિયાનું મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય છે. કારણ કે આ માર્કેટિંગ યાર્ડ અને જીરાના પાકની ખરીદી વેચાણ કરવા માટે જાણીતું છે.
આ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના દરેક ગામડાના ખેડૂતો કે જેઓએ જીરાનું વાવેતર કર્યું હોય તેવા સૌ કોઈ ખેડૂત મિત્રો આ માર્કેટિંગ યાર્ડમાં જીરાનુ વેચાણ કરવા માટે આવે છે. કારણ કે આ માર્કેટિંગ યાર્ડમાં જીરાના પાકનો સૌથી મહત્તમ ભાવ સહેલાઈથી મળી જાય છે. એટલા માટે દરેક ખેડૂત મિત્રો આ માર્કેટિંગ યાર્ડને જીરુ વેચવા માટે સૌથી બેસ્ટ ગણાય છે.
ઘઉં, ચણા, સોયાબીન, રાયડો, મગફળી, કપાસ અને એરંડા જેવા પાકોનુ વેચાણ આ વર્ષે માર્કેટીંગ યાર્ડોમાં ખૂબ વધારે માત્રામાં થયું છે. એમાં પણ ઘણા માર્કેટયાર્ડોમાં તો પાકની એક સામટી આવક થવાને કારણે ખરીદી બંધ કરવાનો વારો આવ્યો છે. કારણ કે એક સામટી ખરીદી થવાને કારણે માર્કેટિંગ યાર્ડમાં પાકને સમાવવા માટે જગ્યાની ઘટ પડે છે…
એટલા માટે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ થોડા સમય માટે ખરીદી બંધ કરવાના નિર્ણય પણ લેવા પડે છે. થોડા દિવસ પહેલા જામનગરના માર્કેટિંગ યાર્ડમાં રાયડાની આવક એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક થવાથી સતાધીશોને રાયડાની આવક થોડા દિવસ માટે બંધ કરવા માટે જણાવ્યું હતું..
તો બીજી બાજુ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક ભરપૂર માત્રામાં થઈ રહી છે. એવી જ રીતે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે જીરા ની આવક ખૂબ મોટા પ્રમાણમાં થતાં ભાવમાં ભૂકા બોલી ગયા છે. જીરાના વાવેતર માટે ખેડૂતોને વાતાવરણની અનુકૂળતા જોઈએ છે. પરંતુ આ વર્ષે વાતાવરણ જીરાના પાકને માફક આવે એ પ્રકારનું રહ્યું નથી..
એટલા માટે પાકનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. તેમજ ઉત્પાદન પણ ખૂબ ઓછા પ્રમાણમાં થવાને કારણે જિરાના પાકની માંગ વધી છે. અને પરિણામે પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું હોવાથી ભાવ ખૂબ જ ઊંચા બોલાઇ રહ્યા છે. દરેક ખેડૂતોને જીરાના પાકના ભાવ ખૂબ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાયો છે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવકની મળતી માહિતી મુજબની વાત કરીએ તો રોજ આશરે 25 હજાર જેટલી બોરીની આવક થાય છે. ખેડૂતોને ભાવ પણ ખૂબ સારા મળે છે. એટલા માટે તેઓ રાજીખુશીથી પાકને સંગ્રહ કર્યા વગર જ માર્કેટ યાર્ડોમાં વેચી દે છે. ઘણા ખેડૂતો ખેતરમાંથી સીધા પાક વેચવા આવી પહોચી છે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરા નો ભાવ જુદી જુદી વકલ પ્રમાણે જુદો-જુદો નોંધાયો હતો. પરંતુ સરેરાશ ભાવ 2700 થી લઈને 42o0 સુધી નોંધાયો છે. આ ભાવ ગુજરાતના દરેક માર્કેટીંગ યાર્ડના ભાવ કરતાં ઘણો સારો છે. હાલ પાક વેચવા માટે આ માર્કેટિંગ યાર્ડમાં પડાપડી બોલી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]