વાંદરાઓ ખુબ ચાલક પ્રાણી છે. છળકપટ કરીને બીજાને હેરાન કરવાનો ગુણ વાંદરામાં પેહલેહી જ રહેલો હોઈ છે. વાંદરા કોઈ પણ ડરતા નથી કારણ કે તે સળી કરીને ભાગી જાય છે અને કોઈના હાથ લગતા નથી એટલે તેઓને કોઇપણ પ્રકારનો ડર હોતો નથી. પરતું બીકન વાંદરાઓ ભગ્યે જ જોવા મળે છે.
હાલ સોશિયલ મીડિયા પર બીકણ વાંદરાનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ તમે પણ હસવા લાગશો કે આ શું થઇ રહ્યું છે? વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ રસપ્રદ છે તેમજ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોઈપણ વ્યક્તિ જાદુગર નો જાદુ જોઈને ખૂબ જ આશ્ચર્ય ચકિત થઇ જતા હોય છે કે, આ કઈ રીતે થયું હશે..? અને પાછળ શું લોજીક હશે. આવા કંઈક વિચારો વાંદરાએ એ જાદુગર ના જાદુ જોયા બાદ વિચાર્યા છે.. વાંદરો એટલો બધો વિચારમાં પડી જાય છે કે, તેનું મૂંઝવણભર્યો ચહેરો જોઈને તમે પણ હસવા લાગશો..
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રાણી સંગ્રહાલયમાં કાચની અંદર એક વાંદરો ઉભેલો છે. એ દરમિયાન વ્યક્તિ તેની નજીક જઈ ને વાંદરા સાથે મશ્કરી કરવાની કોશિશ કરી રહ્યો છે. તે વાંદરાને જાદુ બતાવવા જઈ રહ્યો છે. તે હાથમાં કંઈક પકડે છે. અને વાંદરા ને તેની સુંદર કલા બતાવે છે…
ત્યારબાદ તે વસ્તુને ગાયબ કરી દે છે વાંદરો એક ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. તેમજ તે જાદુ જોઈને પ્રતિક્રિયા આપવા લાગે .છે અને મોઢા પર હાથ રાખીને ત્યાંથી દોડવા લાગે છે. આ વીડિયો યુ-ટ્યૂબ પર ખૂબ જ વાયરલ થયો છે. જાદુગર વ્યક્તિ ફરી એક વખત વાંદરા સાથે આ પ્રકારની મશ્કરી કરે છે.
અને ફરી એકવાર વાંદરો જાદુગરના જાદુને કોપી કરવાની ટ્રાય કરી રહ્યો છે. પરંતુ તેનું મગજ આ વસ્તુ કેવી રીતે બની તે વિચારવા મજબૂર હતું. સમગ્ર મૂંઝવણ તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ આવી હતી. આ જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકો ખૂબ જ હસવા લાગ્યા હતા. વાંદરો ખૂબ જ મૂંઝવણમાં પડી જાય ત્યારે તેઓ ભાગવા લાગે છે.
51 સેકન્ડનો આ વિડીયો યૂટ્યૂબ પર જાસ્મિને શેર કર્યો છે. ખરેખર વાંદરાની મુંજવણ જોઇને સૌ કોઈ લોકો મજા ઉઠાવી રહ્યા છે. કારણ કે વાંદરો સામાન્ય માણસને ખુબ જ હેરાનગતી કરીને મજા લેતો હોઈ છે. પરતું આ યુવકે પોતે જ વાંદરાને હેરાન કરી નાખ્યો હતો. પહેલી વાર તેણે આ પ્રકારની હરકતો જોઈ હશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]