ફિલ્મ સૂર્યવંશમનું નામ પડતા જ ઠાકુર ભાનુ પ્રતાપનો ચેહરો સૌ કોઈની નજર સામે ઉભો થઈ જાય છે. આજે અમે સૂર્યવંશમ ફિલ્મના ચોંકાવનારા ખુલાસા કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મને ટીવી પર વારંવાર શા માટે દેખાડવામાં આવે છે તેનું ચોક્કસ અને સાચું કારણ મળી ગયું છે..
આ ફિલ્મ આજથી 22 વર્ષ પહેલા એટલે કે 21 મે 1999 ના દિવસે રીલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થતા જ સિનેમા હોલમાં પગ મુકવાની જગ્યા પણ નોહતી મળતી. આ મુવીનો એ સમયમાં એટલો ક્રેઝ હતો કે તેની ન પૂછો વાત. એ સમયે ટીવી ચેનલોમાં સોની કંપનીની સોની સેટ મેક્સ ચેનલનું પ્ર્દાપ્ર્ણ થયું હતું.
એ ચેનલને થોડા જ સમયમાં પોતાનું નામ બનાવવા માટે કોઈ સારા મુવી કે શો ના ટેલીકાસ્ટની ખાસ જરૂર હતી. પરતું એ સમયે મોટા ભાગના શો દુરદર્શન પર આવતા હતા. તેમજ મુવી પણ ટીવીમાં ખુબ જ ઓછા આવતા હતા. એ સમયે સોની કંપનીએ ભેજુ ચલાવીને આ હિટ મુવી સૂર્યવંશમના ટેલીકાસ્ટ માટે રાઈટ્સ માંગ્યા હતા.
મુવીના ડીરેક્ટર સાથે વાત ચિત કરીને સૂર્યવંશમ મુવીના આગામી 100 વર્ષ માટેના રાઈટસ સોની એ લીધેલા છે. તેથી તેઓ આ મુવીને વારંવાર સોની મેક્સ પર ટેલીકાસ્ટ કરતા હોઈ છે. તેઓને પોતાની ચેનલને આગળ લાવવા માટે આ એક મુવી જ કામ કરી ગયું.
કારણકે એ સમયે આ મુવીના ચર્ચા ચારે કોર હતા. તેમજ આ મુવીને 10 10 વાર જોવો તો પણ મન થયા જ કરે જોવાનું એ પ્રકારના આ મુવી છે એટલા માટે લોકો આ મુવીને ખુબ જ પસંદ કર્તા હતા. લોકો જેમ જેમ આ મુવી જોતા ગયા તેમ તેમ સોની ચેનલની TRP વધતી ગઈ.
આ ફિલ્મે ટીવી પર ઘણીવાર ટેલિકાસ્ટ થવાનો અનોખો રેકોર્ડ પણ બનાવી લીધો છે. ફિલ્મના એક એક ડાયલોગ લોકોને હવે યાદ રહી ગયા છે. સોશ્યલ મીડિયામાં તો આ ફિલ્મને લઇને ઘણા મિમ્સ બની ચૂક્યા છે.
ફિલ્મ અને ચેનલ બંને એક જ વર્ષમાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેક્સની માર્કેટિંગ હેડ વૈશાલી શર્માએ કેટલાક વર્ષ પહેલા આ ફિલ્મના રાઇટ્સ 100 વર્ષ માટે ખરીદી લીધા હતા. આ જ કારણ છે કે આ ફિલ્મને વારંવાર ટીવી પર બતાવવામાં આવે છે.
આ ફિલ્મમમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો ડબલ રોલ છે. ભાનુપ્રતાપ અને તેના જ દિકરા હીરા ઠાકુરના રોલમાં નજર આવ્યા હકા. સેટ મેક્સ હવે સોની મેક્સમાં બદલાઇ ચૂક્યું છે.
સૂર્યવંશમ ઇન્ડિયન મૂવી ચૅનલ પર સૌથી વધારે ટેલિકાસ્ટ થનારી ફિલ્મ છે. આ ફિલ્મને રુરલ એરિયામાં ખુબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મને જ્યારે 18 વર્ષ થયા ત્યારે અમિતાભે પોતે જ ટ્વિટ કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી.
સુર્યવંશમમાં બચ્ચનનો લૂક એટલો પસંદ આવ્યો કે 2000માં રિલીઝ થયેલી ફિલ્મ મોહાબ્બતે અને સાઉથની ફિલ્મ સઇ રા નરસિમ્હા રેડ્ડીમાં પણ રિપીટ કરવામાં આવ્યો હતો. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મની બંને એક્ટ્રેસ જયાસુધા અને સૌંદર્યા માટે રેખાએ પોતાનો અવાજ આપ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]