મિત્રો, સામાન્ય રીતે આપણે જયારે પણ કોઈ સાધુ-સંત કે સાધ્વી વિશે વિચાર કરતા હોઈએ છીએ ત્યારે માનસપટ મા એક જ ચિત્ર ઊભુ થાય છે કે તે મોટી વય ના વૃધ્ધ હોય છે અને મુખ્ય તો આપણે ઘણી મોટી-મોટી ધર્મસભાઓ મા નિહાળ્યુ હશે કે મોટી વય ના વ્યક્તિઓ પ્રવચન આપતા હોય છે તમે નાની વયે બની ગયેલા સાધુ કે સાધ્વી ને પ્રવચન આપતા ભાગ્યે જ કોઈ જગ્યા એ નિહાળ્યા હશે.
પરંતુ , તમારી આ માનસિક્તા ને દુર કરતા હાલ તમને આપણા દેશ ની એક એવી સાધ્વી વિશે જણાવીશુ કે જેના વિશે જાણી ને તમે આશ્ચર્ય મા મુકાઈ જશો તમને જણાવી દઈએ કે આ સાધ્વી ની વય ફક્ત ૨૪ વર્ષ ની છે તથા તેમણે B.COM સુધી નો અભ્યાસ પૂર્ણ કરેલો છે. તો ચાલો આ સાધ્વી કોણ છે અથવા તેમનુ નામ શુ છે? તેના વિશે વિસ્તૃત માહિતી મળે છે.
તમને જણાવીએ કે, આ ૨૪ વર્ષ ની વય ધરાવતી આ સાધ્વી મૂળ રાજસ્થાન ની નિવાસી જયા કિશોરી ધાર છે. આ સાધ્વી અનેક જગ્યાએ પ્રવચન આપવા માટે જાય છે. આટલી નાની વય ધરાવતા હોવા છતા આ સાધ્વી એ લોકોના હ્રદય મા પોતની એક આગવી ઓળખ ઊભી કરે છે આ સાધ્વી નુ પ્રવચન સાંભળવા માટે લોકો દૂર – દૂર થી અહી પધારે છે.
આ ઉપરાંત તમને એ વાત જાણી ને ખરેખર આશ્ચર્ય થશે કે આ યુવતી એ ફક્ત ૧૦ વર્ષ ની વય મા જ પોતાનુ હ્રદય શ્રી કૃષ્ણ ભક્તિ મા લીન કરી દીધુ હતુ. ઘર મા ધાર્મિક અને ભક્તિમયી વાતાવરણ મળવા ને લીધે તે શ્રી કૃષ્ણ પ્રત્યે વધુ આકર્ષિત થયા જયારે તેમનો સુંદરકાંડ પાઠ ૧૦ વર્ષ ની વયે કર્યો હતો તેમની મધુર વાણી ના લીધે લોકો તેમની તરફ ખુબજ આકર્ષિત થતા. આ મધુર વાણી નુ શ્રવણ કરવા હાલ દૂર – દૂર થી લોકો અહી પધારે છે.
જ્યા કિશોરી એ ભક્તિ ની સાથોસાથ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખ્યો અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. આ ઉપરાંત તેમણે ક્યારેય પણ પ્રભુ ની ભક્તિ ની અસર પોતાના અભ્યાસ પર ના પડવા દીધી. તમને જણાવીએ કે કલકત્તા ની પ્રખ્યાત મહાદેવ બિરલા વર્લ્ડ એકેડમી મા તેમણે પોતાના સ્કૂલ નુ શિક્ષણ ગ્રહણ કર્યુ.
આ પછી તેમણે ભાવનીપુર ગુજરાતી સોસાયટી થી પોતાનો આગળ નો અભ્યાસ પુર્ણ કર્યો. તેઓ નાનપણ થી જ પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા ધરાવતા તથા તેમની ભક્તિ મા લીન થઈ જતા. જેથી તેમને રાધા તરીકે પણ ઓળખવા મા આવતા. એમની કૃષ્ણ ભક્તિ થી પ્રભાવિત થઈ ને લોકો તેમને ખુબ જ સામાન્ય તથા આદરભાવ આપે છે. એમણે પોતાની મધુર વાણી દ્રારા અનેક ભજનો ગાયા છે જે તમે યુટયુબ મા સરળતા થી નિહાળી અને સાંભળી શકો છો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]