મિત્રો, ભારત જુદી જુદી પ્રણાલિકાઓ થી સભર દેશ છે. અહીંયા ઘણા ગામડા તથા શહેર છે, જ્યાં આજે પણ જૂની પરંપરાઓ ચાલતી આવે છે. એવી એક અનોખી પરંપરા ગુજરાત ના છોટાઉદેપુર ના આ ત્રણ ગામડામાં હાલમાં પણ ચાલુ છે. જે ત્રણ ગામડા સુરખેડા, નદાસા અને અંબલ છે. આ ગામડા આદિવાસી લોકોના ગામડા છે.
આ ગામડાઓમાં આજે પણ વરરાજા પોતાના લગ્નમાં જતા નથી અને તમને ભલે આ વાત અજુક્તિ લાગે, પણ તે સાચી છે. વરરાજાની બહેન દુલ્હન સાથે સાત ફેરા ફરે છે આ ગામડામાં વરરાજા વગર જ મંડપ નીચે ચોરીના ફેરા ફરવામાં આવે છે. વરરાજાની જગ્યાએ તેની બહેન જાન લઈને દુલ્હનના ઘરે જાય છે.
વરરાજા ની બેન પોતાની થનાર ભાભી સાથે આ વિવાહ ની તમામ વિધિ મા સામેલ થાય છે. વરરાજા ની બહેન દુલ્હન સાથે સાત ફેરા પણ ફરે છે. આ બાદ તે પોતાની ભાભી ને લઈ ને ઘરે આવે છે. ત્યારે તમે વિચારતા હશો કે વરરાજા શું કરે? આ લગ્ન મા વરરાજો શેરવાની પહેરે છે અને માથા પર સાફો બાંધે છે અને હાથ મા ખાંડું લઈને તૈયાર થઈને બેસે છે. પરંતુ તે પોતાના જ લગ્ન મા જતા નથી.
વરરાજા મંડપ મા જવાને બદલે પોતાની માતા સાથે ઘરે જ રહીને દુલ્હન ના આવવાની રાહ જુએ છે. જેમાં આપણે અહિયાં લગ્ન ની વિધિ જે વરરાજા સાથે કરવામા આવે છે તે ત્યાં તમામ વિધિ વરરાજા ની બહેન સાથે કરવામા આવે છે. એ લોકો એમની પરંપરાનું મહત્વપૂર્ણ રૂપે પાલન કરીને એમની પરંપરા ને માન આપીને જાળવી રાખે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.