અત્યારના સમયના બાળકોની તો વાત જ અલગ છે. કોઇપણ વ્યક્તિ તેઓની મનપસંદ વસ્તુઓ કે શોખ સાથે ખિલવાડ કરે તે ચલાવી લેતા નથી. બાળકો એટલા જીદી બનતા જાય છે કે તેઓની દરેક ઈચ્છા માં બાપએ કોઇપણ કાળે પૂરી કરવી પડે છે. નહીતો તેઓ ખાવાનું અને ભણવાનું મૂકી દે છે એવી ઘટના પણ સામે આવી ચુકી છે..
મોટા ભાગના લોકો ડીજે પર ડાન્સ કરવાનું પસંદ કરતા હોય છે અને તેમા પણ ખાસ કરીને યુવાનોના ડીજે વગાડવાના પોતાના જ અલગ નિયમો હોય છે પરંતુ, ડીજેને તમે એક નિશ્ચિત સમય પછી વગાડવાનું બંધ કરી દેવુ પડે છે અને જો તમે તે ના કરો તો તમારે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણામાં ડીજે વગાડવા બાબતે એક 6 વર્ષના છોકરાની એક પોલીસ કર્મચારી સાથે અથડામણ થઇ ગઈ હતી. આ કેસ તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લાનો છે કે જ્યાં એક 6 વર્ષનો છોકરો પોલીસ કર્મચારી સાથે દલીલ કરવાનું શરૂ કરે છે.
ઘટના કંઈક એવી બની છે કે, દુર્ગા માતાની મૂર્તિ સદાશિવપેટ શહેરમાં વિસર્જન માટે લઇ જવામા આવી રહી હતી અને આ સમય દરમિયાન માતાની ઝાંખી કાઢવામાં આવી રહી હતી પરંતુ, સ્થાનિક પોલીસે ડીજેને મંજૂરી આપી ન હતી. આ સમય દરમિયાન એક 6 વર્ષનો બાળક ડીજેની મંજૂરી બાબતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સાથે દલીલ કરી રહ્યો હતો.
તે તેમને મંજૂરી ન આપવાનું કારણ પૂછી રહ્યો હતો. બાળકની આ દલીલથી પોલીસ પણ થોડા મસાય માટે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો બાળકના આ નિર્દોષ પ્રશ્ન સાથેની હિંમત જોઈને નિઃશબ્દ થઇ ગયા. આ વીડિયો જોયા બાદ તમે ચોક્કસ કહી શકશો કે આ બાળક છ વર્ષનું હોવા છતાં તેની પાસે ઘણી હિંમત છે.
આ બાળકે તે કર્યું જે ત્યાં ઉભેલો કોઈપણ મોટો વ્યક્તિ કરી શકતો ન હતો. ડીજેની મંજૂરી બાબતે બાળક જે રીતે પોલીસ કર્મચારી સાથે વાત કરી રહ્યો હતો તે જાણીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યાં હાજર લોકો, બાળકો અને પોલીસકર્મીઓ વચ્ચેની ચર્ચાનો આનંદ માણી રહ્યા છે.
डीजेे के लिए पुलिस वाले से बहस करता 6 साल का बच्चा pic.twitter.com/CNyDWYxcK0
— @StunnedVideo (@kumarayush084) October 17, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]