કહેવાય છે કે જે ઘરમાં દીકરીઓ હોય તે ઘરમાં સુખની સુગંધ આવે છે. જો કે આજે પણ ઘણા એવા ઘરો છે, જ્યાં દીકરા-દીકરી વચ્ચેનો તફાવત સમજાય છે. અને દીકરીઓને બોજ તરીકે માનવામાં આવે છે. પરતું આજે દીકરીઓ પણ એટલી પ્રગતી કરી રહી છે કે તેની સામે દીકરાઓ પણ પાછળ રહી જાય છે…
કેટલાક લોકો દીકરીનો જન્મ થતાં નિરાશ પણ થઈ જાય છે. આજે અમે જે વિડિયો લાવ્યા છીએ તે જોઈને દીકરીના જન્મ પર નિરાશા વ્યક્ત કરનારાઓને બોધપાઠ મળે તેવો છે. વાયરલ વિડીયો હૃદય સ્પર્શી જાય છે. આ વિડિયો દરેક વ્યક્તિએ જોવો જોઈએ જે દીકરીઓને બોજ માને છે.
આ વીડિયો કવિ અને ગીતકાર મનોજ મુન્તાશીરે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે હૃદય સ્પર્શી વાત લખી છે. મનોજ મુન્તાશીરે લખ્યું, ‘વિડિયો જોયા પછી કદાચ દીકરીઓના જન્મ પર ઢોલ-નગારાં વગાડવાની પરંપરા શરૂ થઈ શકે છે. ભાગ્યશાળી હોય છે જેના ઘરમાં લક્ષ્મીનો અવતાર થાય છે.
વાયરલ વીડિયો 2 મિનિટ 14 સેકન્ડનો છે. જેમાં એક નાની બાળકી તેના પિતાને યાદ કરીને રડી રહી છે. આ દરમિયાન દીકરીની માતા તેને પૂછે છે કે તે કેમ રડે છે? જવાબમાં છોકરી ફરી રડવા લાગે છે. જ્યારે માતા તેને તે જ પ્રશ્ન ફરીથી પૂછે છે, ત્યારે છોકરી કહે છે, ‘હું પાપાને ખૂબ યાદ કરું છું.’
એક દીકરીની પિતા તરફનો શું પ્રેમ હોઈ છે એની વાત આ વિડીયોમાં દીકરી કરી રહી છે. તે રડતા રડતા કહે છે કે મને રોજ સવારથી લઇને સાંજ સુધી પાપાની ખુબ જ યાદ આવે છે. ખરેખર દુનિયામાં દીકરી અને પાપા નો પ્રેમ તેમજ દીકરા અને માતાનો પ્રેમ અનહદ હોઈ છે. પિતા પર પોતાની વહાલસોયી દીકરીને ખુબ જ લાડપ્રેમ થી ઉછેર કરતા હોઈ છે.
વીડિયોમાં આગળ છોકરી શું કહે છે તે સાંભળીને તમારી આંખો પણ ભરાઈ આવશે. છોકરી કહે છે કે ‘પાપા આખો દિવસ ખાધા વિના કામ કરે છે. પુત્રી કહે છે કે પિતા સવારે માત્ર ભોજન જ ખાય છે અને આખો દિવસ માત્ર કામ કરે છે. વીડિયો એટલો ક્યૂટ છે કે તેને સતત જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
पापा की इतनी फिक्र “ये होती है. बेटीयां” जिन लोगों को बेटीयां बोझ लगती वो एक वार वीडियो जरूर देख ले.@chitraaum @pankajjha_ @manojmuntashir pic.twitter.com/SxOfVfyLv4
— Journalist Naveen Raghuvanshi (@RaghuvanshiLive) February 4, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]