પોતાની બનાવેલી જાળમાં યુવતીઓને ફસાવીને નરાધમ યુવકો દુષ્કર્મ આચર્યા બાદ તેઓને ધમકી આપવાના તેમજ મારી નાખવાનો બનાવ પણ હાલ ખૂબ જ ચર્ચામાં છે. વધુ એક બનાવ મહેસાણામાં ઊંઝા ખાતે બન્યો છે. આ બનાવ બન્યા બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે…
સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે હવે આ પ્રકારના બનાવો ક્યારે બંધ થશે..? ક્યારે દીકરીઓ મુક્ત મને હરી ફરી શકશે..? અત્યારે રાજ્યમાં મહિલાઓ તેમજ બાળકીઓ ઉપર શારીરિક શોષણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઊંઝા તાલુકાના એક ગામમાં 20 વર્ષની યુવતીને કિરણજી સુંધાજી ઠાકોર નો એક યુવક પોતાની જાળમાં એવી રીતે ફસાવી હતી…
આ યુવકના પ્લાનને સમજીને તમે પણ માથું પકડીને બેસશો.. કે આ નરાધમોને આવા આઈડિયા ક્યાંથી આવે છે? કિરણજી સુદાજી ઠાકોરે ગામમાં રહેતી ૨૦ વર્ષની યુવતીને મોડી રાત્રે ફોન કર્યો હતો કે તારો ભાઈ અંધારામાં રખડી રહ્યો છે. અજાણ્યા શખ્સો તેને ઉપાડી લેવાની પૂરેપૂરી તૈયારી માં છે..
એટલા માટે તારા ભાઇને બચાવવા માટે તું ખેતરે જલ્દીથી દોડી આવ. પોતાના ભાઈની જાન બચાવવા માટે 20 વર્ષ ની આ દીકરી તરત જ ખેતર ખાતે દોડી ગઈ હતી. પરંતુ તેને ખ્યાલ નહોતો કે હકીકતમાં તેના ભાઈના જીવની બદલે તેના પોતાના જીવને ખૂબ મોટું જોખમ હતું. આ યુવતી પોતાના ભાઇને બચાવવા માટે જેવી ખેતર પાસે આવી કે….
તરત જ કિરણજી સુદાજી ઠાકોર અને તેનો મિત્ર દિલીપ ચૌધરી આ બંને યુવકોએ આ યુવતીને હાથ પકડીને ધસડીને ખેતર ખાતે લઇ ગયા. ત્યાર બાદ તેના પર દુ.ષ્ક.ર્મ આચર્યું હતું. પોતાના ભાઈના જીવ બચાવવાની લાલચમાં યુવતી પોતાના પર આવા અણબનાવો સહન કરી રહી હતી.
નરાધમ યુવકો આવા અનેક પ્લાન બનાવીને અન્ય ઘણી યુવતીઓને ફસાવી ચૂક્યા હતા. આ ઘટના બન્યા બાદ બીજા દિવસે યુવતીએ ઊંઝા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે તરત જ પોલીસ તંત્ર સફાળું બેઠું થઈને આરોપીને પકડવા માટે માસ્ટર પ્લાન બનાવી નાખ્યો હતો.
નરાધમ યુવકે ખેતરમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને સિધ્ધપુર ચાર રસ્તા ઉપર ઉતારી દીધી હતી. પોલીસે દુ.ષ્ક.ર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને આ કામમાં મદદ કરનાર તેનો મિત્ર દિલીપ ચૌધરી આ બન્ને નરાધમો સામે ફરિયાદ નોંધી છે. અને તેને પકડવા માટે ટીમ પણ તૈનાત કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]