મિત્રો આપણો દેશ એ તહેવારો થી ભરપૂર છે તથા અહી દરેક તહેવાર ધામ-ધુમ થી ઉજવવા મા આવે છે. આ તહેવારો મા નો એક તહેવાર છે નવરાત્રી. નવરાત્રી ના આ પવિત્ર તહેવાર પર લોકો માતા ની ભક્તિ મા લીન થયેલા હોય છે. ઘરો મા કળશ ની સ્થાપના કરવા મા આવે છે જેને નવરાત્રી નો તહેવાર પુર્ણ થતા પ્રવાહિત કરી દેવા મા આવે છે.
આજે તમને એક એવા ચમત્કારિક દેવસ્થાન વિશે જણવીશુ જ્યા માતા ભગવતી નુ પૂજન-અર્ચન કરવા મા આવે છે. આ વાચ્યા બાદ ભગવાન મા તમારી અપરંપાર શ્રધ્ધા વધી જશે. આ દેવસ્થાન છે બિહાર ના મેઘપુર જીલ્લા મા સ્થિત ચંડી સ્થાન મંદિર. આ દેવસ્થાન એટલુ ચમત્કારી છે કે જેના વિશે સાંભળી તમે આશ્ચર્ય મા મુકાઈ જશો.
આ દેવસ્થાન મા નિયમીત લાખો-હજારો ભક્તો ની ભીડ જામેલી રહે છે. આ ઉપરાંત નવરાત્રી ના દિવસે તો અહી ભક્તો ની સંખ્યા મા વધારો જોવા મળે છે જેને નિયંત્રીત કરવી પણ અઘરી બની જાય છે. આ ગામ ના સ્થાનિક લોકો દ્વારા આ રહસ્યમયી દેવસ્થાન નુ નિર્માણ થયુ હતુ. આ દેવસ્થાન મા માતા દુર્ગા ઉપરાંત તેમના સેવક બે સગા ભાઈ બુધાય અને સુધાય ની મૂર્તિઓ પણ બિરાજમાન છે.
સાચા હૃદય થી મંદિર મા આવતો કોઈપણ શ્રધ્ધાળુ અહી થી નિરાશ જતો નથી. માતા આ સર્વ ભક્તો ની મનોકામના પુર્ણ કરે છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ ને માતા બનવા નુ સુખ પ્રાપ્ત નથી થતુ તેઓ અહીયા આવ્યા બાદ તેમને સંતાન ની પ્રાપ્તિ થાય છે. અહી ના વૃધ્ધો ના કહેવા પ્રમાણે અંદાજીત ૭૦ વર્ષ પૂર્વે આ મંદિર મા બે તસ્કરો ઘૂસી આવ્યા હતા જે માતા ના ઘરેણા લૂંટી ને જઈ રહ્યા હતા.
પરંતુ , જેવા તે લૂટેલા ઘરેણા લઈ ને નાસીપાસ થઈ રહ્યા હતા કે બંને ના નેત્રો ચાલ્યા ગયા. બંને ની આંખો ની રોશની ગુમાવ્યા પછી તે ડરી ગયા અને લૂટેલા ઘરેણા મંદિર મા રાખી જેમ-તેમ બહાર નીકળ્યા. બહાર નીકળતા જ બંને પથ્થર ના બની ગયા અને હાલ પણ તે બંને મંદિર ની બહાર પથ્થર બનેલા છે. સ્થાનિક વૃધ્ધો ની માન્યતા મુજબ માતા સતી નુ વિભાજીત શરીર નુ એક અંગ અહી પડયુ હતુ. જેથી , આ સ્થળ ચંડી સ્થાન તરીકે ઓળખાયુ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.