બોલિવૂડમાં અક્ષય-અજયની જેમ ના ચાલ્યો સુનીલ શેટ્ટીનો જાદૂ, કહી આ વાત અને ફેન્સ થય ગયા ભયભીત…

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી છેલ્લા 30 વર્ષોથી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. તેમને પોતાના કરિયરમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. અનેક ફિલ્મો હિટ થઇ તો અનેકમાં નિરાશા હાથ લાગી. તેમને ફિલ્મ બલવાનથી વર્ષ 1992માં ડેબ્યુ કર્યું હતું.

આ બાદ તેઓ ‘સપૂત’, ‘ક્રોધ’, ‘હુ તૂ તૂ’, ‘હેરાફેરી’ અને ‘દસ’ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. બોલિવૂડના એક્શન હિરોમાં તેમનું નામ સામેલ હતુ. અક્ષય કુમાર અને અજય દેવગણની સાથે તેમને પણ સ્ટારડમ જોવાયા, પરંતુ સુનીલ શેટ્ટીનો જાદૂ વધારે સમય સુધી દર્શકો પર રહ્યો નહીં. કેટલાક વર્ષો બાદ તેઓ બોલિવૂડમાં ફેલ થતા જોવા મળ્યા.

સુનીલ શેટ્ટી કહે છે કે એક સુનીલ શેટ્ટી તે હતા જ્યારે એક સમય બાદ કેરિયરમાં ફેલ થવાનું શરૂ થઇ ગયું. એ સુનીલ શેટ્ટીએ સબ્જેક્ટ પર ભરોસો દેખાડ્યો હતો. પરંતુ માર્કેટિંગે તેમને ફેલ કરી દીધા.

બોલિવૂડમાં દીકરા અહાનને ઇંડસ્ટ્રીનો ભાગ બનાવવા માગતા હતા. બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે અહાન તૈયાર પણ છે. સુનીલ શેટ્ટી કહે છે કે હું અહીંયા એ બતાવવા માગુ છું. કે હું બોક્સ ઓફિસની વાત કરી રહ્યો છું. સુનીલ આગળ કહે છે કે અમે બોક્સ ઓફિસથી શરૂ કરીએ છીએ અને પછી લોકો શું કહે છે. તેના પર આવીએ છીએ.

સુનીલે કહ્યું કે આજના સમયે સુનીલ શેટ્ટીની સાથે કોઇ 50 કરોડની ફિલ્મને રિસ્કમાં લેવા માગશે નહીં. પરંતુ તે 500 કરોડની ફિલ્મ અક્ષય કુમાર સાથે જરૂર કરવા માગશે. સુનીલ છેલ્લે કહે છે કે જેમ કે મે કહ્યું કે મે ભૂલ કરી અને હું તેમા યોગ્ય છું. આ વાત મારા દીકરાના કામ આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment