દિવસેને દિવસે ક્રાઈમના બનાવો વધતા જાય છે. અત્યારે મોરબી જીલ્લામાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે કે જે વાંચીને જ તમારા હોશ ઉડી જશે. હકીકતમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા પોતાના દીકરા અને પત્ની સાથે રહે છે.
તેઓના નજીકના સબંધીને ત્યાં લગ્ન હોવાના કારણે તેની પત્ની અને દીકરો ગોવા ગયા હતા. દિનેશભાઈ મહેતા ઘરે એકલા હોવાથી તેની પત્નાની આસપાસના પાડોશી લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. તેથી તેમના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છ-એક વાગ્યાના અરસામાં ગયા હતા.
ત્યારે દિનેશભાઈ જમીન પર પડ્યા હતા, અને તેમના માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી. તેમના પાડોશી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બાબતની જાણ પાડોશીએ તેમની દીકરીને કરતા જ તેમની દીકરી દોડીને ત્યાં પહોચી ગઈ હતી.
તેમની દીકરીએ પિતાની હત્યા પર મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિનેશભાઈના પાડોશમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં તેની પાડોશમાં રહેતો શખ્સ ચોરી કરવા માટે તેમના ઘરમાં ઘૂસયો હતો.
પાડોશી ચોરી કરતો હતો ત્યારે ઘરમાં હાજર રહેલા વૃદ્ધ તેને જોઈ ગયા હતા. જેથી ચોરી કરવા માટે આવેલા શખ્સે વૃદ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી. જેથી વૃદ્ધનુ મોત થયુ હતું. પોલીસે હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ તેના ઘરમાં ગયો હતો. પરંતુ ઘરમાં કોઈ દાગીના રાખેલા ન હતા અને તેના પિતા દિનેશભાઈ તેમને ચોરી કરતાં જોઈ ગયા હતા. જેથી આરોપીએ તેને માથા અને શરીરના ભાગે તિક્ષણ હથિયાર અને બોથડ હથિયારના ત્રણ ઘા મારીને તેમની હત્યા કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદીનો ગુનો નોંધીને આરોપી કલ્પને પકડવા માટે ચક્રોગતિમાન ગતિમાન કર્યા છે.