Breaking News

અંબાજી વિશ્વનુ એકમાત્ર એવુ શક્તિપીઠ કે જ્યા પૂજારીને અંબા માતાની પૂજા આંખે પાટા બાંધી કરવી પડે છે,જાણો આ રહસ્ય વિષે..

સમગ્ર ભારત આદિકાળ થી દેવી-દેવતાઓ, સંતો-મહંતો અને શુરવીરો ની ભૂમિ રહી છે. અહિયાં ઠેક-ઠેકાણે મંદિરો અને પાળિયા પોતાનો ઉમદા ઈતિહાસ ને સંઘરી ને બેઠો છે. જ્યાં જવા ત્યાં નવો ઈતિહાસ જોવા મળે છે. આજે એવા જ એક ભારત ના મંદિર વિશે આ આર્ટીકલ મા વાત કરવી છે.

તો વાત કરવામાં આવે છે ભારત ના ગુજરાત અને રાજસ્થાન બન્ને ની સરહદે પડતું ભારત નુ એકમાત્ર એવું સ્થળ અંબાજી કે જેનો સમાવેશ શક્તિપીઠ મા તો અગ્રેસર થાય જ છે અને જ્યાં શક્તિપીઠ ના પટાંગણ મા જ વીસાયંત્ર નો અભિષેક કરવામાં આવતો હોય. આ યંત્ર ની સાવ નજીક થી ગંગાજળ ના અભિષેક સાથે શ્લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. અહિયાં રોજ માટે માતાજી ના દર્શનાર્થે લાખો ભાવિકભકતો આવે છે. પણ આ વાત થી કદાચ તમે અજાણ હશો કે અહિયાં મૂળ સ્થાનક મા માતા ની મૂર્તિ જ નથી. અહિયાં માત્ર વીસાયંત્ર ની જ પૂજા કરવામાં આવે છે.

આખા જગત નુ એક એવું શક્તિપીઠ કે જ્યાં આરતી સમયે વચ્ચે લેવાય છે મિનિટ નો વિરામ : આ જગવિખ્યાત અંબાજી સમગ્ર સંસાર નુ એક એવું શક્તિપીઠ છે કે જ્યાં સવાર અને સાંજ ની આમ બે આરતી કરવામાં આવે છે અને આ આરતી સમયે વચ્ચે એક મિનિટ નો વિરામ લેવાય છે. જેમ કે આરતી ની શરૂવાત જય આદ્યશક્તિ… મા, જય આદ્યશક્તિ…આ રીતે આરતી આગળ વધે અને તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા…આ પંક્તિ પૂરી થયા બાદ એક મિનીટ ના વિરામ બાદ જ આગળ ની પંક્તિ ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા…થી આરતી ફરી શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતે તેની આંખે પાટા બાંધી પ્રજ્વલિત આરતી થી માં આરાસુરી અંબા ના વીસાયંત્ર ની ખાસ પૂજા કરે છે.

શુદ્ધ સોના માંથી બનેલ છે આ વીસાયંત્ર : એવું માનવામાં આવે છે કે આ યંત્ર એક શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન અને નેપાળ ના શક્તિપીઠો ના મૂળ યંત્ર સાથે જોડાયેલું છે. આ સાથે વધુ જાણવા એ મળ્યું કે આ યંત્ર મા એકાવન અક્ષર લખાયેલા છે. તેમજ આ યંત્ર શુદ્ધ સોના થી બનેલું છે. માં અંબા ના આ યંત્ર ને ને નરી આંખે જોઈ શકાતું નથી. જેથી પુજારી પણ આંખે પાટા બાંધી પૂજા કરે છે. ગોખ મા પણ એવી રીતે વસ્ત્રાલંકારો તેમજ આભૂષણો નો શણગાર કરવામાં આવે છે કે દર્શનાર્થી ને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય તેવું પ્રતીત થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :  તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *