આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે… પનીર પસંદ કરનાર લોકોને પનીરની નવી-નવી રેસીપી જરૂર ટ્રાઈ કરો છો. આજે અમે તમને જણાવી રહ્યા છે પનીર દો પ્યાજાની રેસીપી
- સામગ્રી : 250 ગ્રામ પનીર
- 4 ડુંગળી
- 4 ટમેટાં સમારેલા
- 1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
- 2 લીલા મરચા
- 2 ચમચી કોથમીર પાવડર
- 1 ટીસ્પૂન હળદર પાવડર
- 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
- 1 ચમચી મલાઈ (ક્રીમ)
- 1 ટીસ્પૂન ખાંડ (વૈકલ્પિક)
- 3 નાની એલચી
- 1 ટીસ્પૂન કસુરી મેથી
- 1 તમાલપત્ર
- 1 ચમચી જીરું
- મીઠું
- સ્વાદપ્રમાણે
- તેલ
વિધિ : પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. ટમેટાને મિક્સીમાં વાટીને પ્યૂરી તૈયાર કરી લો. 2 ડુંગળી ઝીણી સમારી લો. બાકી 2 ડુંગળી મોટા-મોટા ટુકડામાં કાપી લો. ગૈસ પર નૉન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીના મોટા કટકા નાખી સોનેરી થતા સુધી ફ્રાઈ કરો. ફ્રાઈ કરેલા ડુંગળી પ્લેટમાં કાઢી લો.
હવે આ પેનમાં થોડો તેલ ગરમ કરો. ત્યારબાદ તેલમાં જીરું, તમાલપત્ર અને નાની ઈલાયચી નાખી તડકો લગાવો. પછી પેનમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સોનેરી થતા સુધી રાંધવું. હવે આદું-લસણનો પેસ્ટ અને લીલા મરચાં નાખી એક મિનિટ સુધી રાંધો.
ત્યારબાદ ટમેટા પ્યૂરી, હળદર, કોથમીર, ગરમ મસાલા અને લા મરચા પાઉડર, ખાંડ અને મીઠુ નાખી ગ્રેવીને મધ્યમ તાપ પર રાંધો. તેને ત્યારે સુધી રાંધવુ6 જ્યારે સુધી ગ્રેવીથી તેલ છૂટું ન થવા લાગે. હવે ગ્રેવીમાં કસૂરી મેથી, ફ્રાઈડ ડુંગળી અને એક કપ પાણી નાખી શાકને 5 મિનિટ રાંધવું. પછી શાકમાં પનીર અને મલાઈ નાખી મિક્સ કરીને ગૈસ બંદ કરી નાખો. તૈયાર છે પનીર દો પ્યાજા. તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]