મિત્રો, પ્રભુ નારાયણ સમગ્ર વિશ્વના રક્ષક છે અને સમગ્ર વિશ્વને ચલાવવાની જવાબદારી તેમણે મહાદેવને આપી હતી. આ પાછળનુ તથ્ય કઈક એવુ છે કે, પ્રભુ નારાયણની પાસે સૌન્દર્ય પણ છે અને તીવ્ર બુદ્ધિ પણ છે. પ્રભુ નારાયણે ભગવદ્દગીતાના અમુક ભાગમા જણાવ્યુ હતુ કે, કળિયુગનો પ્રારંભ કેવી રીતે થશે? તથા કેવી રીતે તેનો અંત પણ થશે? આ સિવાય અન્ય ગ્રંથોમા પણ આ અંગે જણાવવામા આવ્યુ છે પરંતુ, દરેક ગ્રંથમાં અલગ-અલગ તારણ બતાવવામા આવ્યુ છે.
આ કલિયુગના સમાપ્તિ વિશે પ્રભુ નારાયણના શબ્દો : પ્રભુ નારાયણે જણાવ્યુ હતુ કે, કલિયુગનો પ્રારંભ સૌથી પહેલા સ્ત્રીઓના વાળથી થશે. સ્ત્રીઓના વાળને તેનો શૃંગાર કહેવામા આવે છે પરંતુ, કલિયુગમા તેની વિપરીત અસર જોવા મળશે એટલે કે દરેક સ્ત્રી પોતાના વાળ કાપવાનુ શરૂ કરી દેશે. ફક્ત એટલુ જ નહી, લોકો એમના વાળને રંગવાનુ પણ ચાલુ કરી દેશે. સ્ત્રી હોય કે પુરુષ દરેક તેમના પ્રાકૃતિક રંગને કલર કરવાનુ શરૂ કરશે એટલે કે આ યુગમા કોઈપણ વ્યક્તિના વાળ કાળા અને લાંબા જોવા મળશે નહિ.
પ્રભુ નારાયણે જણાવ્યુ કે, આ કળિયુગમા જે દિવસે પુત્ર તેમના પિતાની ઉપર હાથ ઉપાડશે ત્યારે સમજી લેવુ કે આ યુગનો નાશ થવાનો સમય નજીક આવી ગયો છે. એટલુ જ નહીં, આ યુગના અંત સમયે દરેક ઘરમા વાદ-વિવાદ થશે. કોઈપણ વ્યક્તિ એકબીજા સાથે હળીમળીને રહેશે નહિ. લોકો પોતાના જ ઘરના સદસ્યોને મારશે. આ યુગમા કોઈપણ વ્યક્તિ એકબીજાને સાચુ નહિ બોલે, ના તો પતિ-પત્ની, ના તો બાળકો અને ના તો તેમના માતા-પિતા. દરેક લોકો ફક્ત ખોટુ જ બોલતા હશે.
આ ઉપરાંત તેમણે આ યુગના અંત વિશે એક વિશેષ વાત જણાવી છે કે, આ યુગમા લગ્ન ફક્ત એક કરાર બનીને રહી જશે. પતિ પત્નીની ઈજ્જત નહિ કરે અને ના તો પત્ની પતિની ઈજ્જત કરશે, લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર થઇ જશે. કોઈપણ વ્યક્તિનુ વૈવાહિક જીવન યોગ્ય રીતે ચાલી શકશે નહિ. આ યુગમા દરેક યુવતી એકદમ અસુરક્ષિત રહેશે.
યુવતીઓનુ બહાર તો ઠીક પરંતુ, તેમના ઘરમાં પણ શારીરિક અને માનસિક રીતે શોષણ થવા લાગશે. પોતાના જ ઘરના લોકો એની સાથે વૈભિચાર કરશે અને બાપ-દીકરી તથા ભાઈ-બહેન જેવા કોઈપણ પવિત્ર સંબંધ રહેશે નહીં. આ યુગનો અંત થશે ત્યારે તેમા ત્રિદેવની ઉપસ્થિતિ પણ હશે, આ યુગના અંતની સાથે ફરી એક નવા પવિત્ર યુગનો પ્રારંભ થશે અને આ યુગમા ફરી પ્રેમ અને ધર્મ-ભક્તિની પુનઃ સ્થાપના થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.