હકીકતમાં નાના બાળકોની સાથે ના થવાના બનાવોના કેસો ખૂબજ વધી રહ્યા છે. કારણ કે નાના બાળકોને પૂરતી સમજ ન હોવાને કારણે જેતે વ્યક્તિઓની જાળમાં આસાનીથી ફસાઈ જતા હોય છે. તેમજ ચોકલેટમાં અને નાની નાની વસ્તુઓની લાલચ આપીને નરાધમ યુવકો નાના બાળકો સાથે ન કરવાના ખેલ કરી બેસે છે…
બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બનતાં જાય છે. એમાં પણ જો બાળકની સાથે માતા કે પિતા કોઈ ન હોય અને બાળક એટલું જ જતું હોય તો તેને સાથે એવા બનાવો પણ બને છે જે સાંભળતાની સાથે જ શરીરમાંથી કંપારી છૂટી જાય.. હાલ એક પરિવાર દોઢ વરસની દીકરી ગાયબ થતાં આસપાસના વિસ્તારમાં અરેરાટી નો માહોલ સર્જાઈ ગયો છે..
અમદાવાદના ગોમતીપુર રોડ ઉપર આવેલા ઓવર બ્રિજના અંતે સલાટનગર સોસાયટીની સામે એક ફૂટપાથ આવેલી છે. જેમાં જુપડા બાંધેલા છે. આ ઝૂપડપટ્ટીમાં મૂળ રાજસ્થાનનો પરિવાર રહે છે. સમગ્ર પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે .છે આખો દિવસ તેવો મજૂરી કામ કરે છે..
તેમજ રાત્રે ઘરે આવીને જમ્યા બાદ તેઓ ઝુપડપટ્ટીમાં સુઈ જાય છે. રોજની જેમ તેઓ રાત્રે સૂઈ ગયા હતા. પરંતુ સવારે જાગ્યા અને જોયું તો તેમની દોઢ વર્ષની દીકરી ગાયબ હતી. પરિવારના મોભી નાથુભાઈને આ બાબતની જાણ થતાની સાથે જ તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવાની શરૂ કરી હતી..
પરંતુ નાથુભાઈને તેમની દોઢ વર્ષની દીકરીને કોઈ પણ અતો પતો ન મળતા તેઓ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ બાબતને લઈને તેઓ તાત્કાલિક ધોરણે અમરાઇવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને પોતાના દોઢ વર્ષની બાકી ગાયબ થઇ હોવાનું ફરિયાદ નોંધાવી છે.
સાંજે આ બાળકી પોતાની માતા સાથે સૂઈ ગઈ હતી. ત્યારબાદ ખુલ્લી ઝુપડપટ્ટીમાં બાળકીને કોણ ઉપાડીને લઈ ગયું હશે..? તેમજ આ બાકી સાથે શું બન્યું હશે..? આ સમગ્ર બાબતની તપાસ પોલીસ કરી રહી છે. આમાંથી માત્ર દોઢ વર્ષની છે. એટલા માટે તે ચાલી પણ શકતી નથી. એટલે તે ચાલી ને કોઈ જગ્યાએ ગઈ હોય એ અશક્ય બાબત છે.
એટલે કે બાળકી ને કોઈ અજાણ્યો યુવક કે યુવતી લઈને જતા રહ્યા હોય તેવી શંકા ગઇ છે. નાથુભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાની સાથે તેઓએ દોઢ વર્ષની દીકરી નો ફોટો પોલીસને આપ્યો છે. જેથી કરીને તેઓ આ દીકરીને જલ્દીથી જલ્દી શોધી શકે. જ્યારે બાકીની માતા સવારમાં પાંચ વાગ્યે જાગી હતી..
અને તેને જોયું તો તેની બાજુમાં એની દીકરી હતી નહીં. એટલા માટે તેણે તેના પતિ ને જગાડ્યા હતા અને દીકરી ન હોવાની વાત કહી હતી તેઓએ આસપાસની ઝુપડપટ્ટીમાં તેમ જ આસપાસની સોસાયટીઓમાં પણ તપાસ કરી હતી. પરંતુ આ બાળકીની ભાળ કોઈપણ જગ્યાએ ન મળી હતી.. જેના કારણે પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે. હજુ પણ આ બાળકીની કોઈપણ પ્રકારની જાણ મળી નથી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]