Breaking News

ઝુલતા પુલ પર ગયેલા એક જ પરિવારના 8 લોકોમાંથી 4 લાશો મળતા, યુવક રડતા રડતા બોલ્યો કે, “મારો પરિવાર ક્યા છે..?” અને જવાબમાં….

ગુજરાતના મોરબીમાં બે દિવસ અગાઉ સાંજના સમયે રાજ્યો તેમજ દેશના તમામ નાગરિકોને સફાળા બેઠા કરી દે તેવી મગજ હચમચાવતી ઘટના બની હતી. મોરબીમાં રહેલા ઝુલતા પુલ તૂટી જવાને કારણે અંદાજે 400 જેટલા લોકો મચ્છુ નદીની અંદર પડી ગયા હતા..

આ ઘટના બનતાની સાથે જ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા અને રાહતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાની અંદર અંદાજે 150 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અંદાજે 160 કરતાં પણ વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે..

કોઈ પરિવારે પોતાનો વહાલ સોયો દીકરો ખોયો છે, તો કોઈ પરિવાર એ પોતાની લાડકી દીકરી ખોઈ છે. તો અમુક પરિવાર તો આખાને આખા ખલાસ થઈ ગયા છે. આ દુઃખદ ઘટના એ સૌ કોઈ લોકો ને માથા પકડાવા પણ મજબૂર કરી દીધા છે. જ્યારે આ ઘટના ના સમાચાર મળ્યા ત્યારે એકાએક મોતનો માતમ છવાઈ ગયો હતો..

તો ચારે કોર શોકની લાગણી દેખાઈ આવી હતી. આ ઘટનાની અંદર જીવતા પુલ ઉપર ફરવા ગયેલા એક જ પરિવારના આઠ લોકો સાથે ખૂબ જ મોટો બનાવ બની ગયો છે. આ દુર્ઘટના ની અંદર આરીફ શાહ નુરશા શાહમદાર નામના વ્યક્તિ તેમના પરિવારજનો સાથે આ ઝુલતો પુલ જોવા માટે ગયા હતા..

તેઓ તેમની પત્ની તેમના દીકરા,દીકરી તેમજ તેના ભાભી અને તેના ભત્રીજા તેમજ તેમની બહેન અને બહેનના દીકરા-દીકરીઓનો પણ સમાવેશ થતો હતો. જ્યારે અચાનક જ આ ઝુલતો પુલ તૂટ્યો ત્યારે સૌ કોઈ લોકો નદીમાં ખાબક્યા હતા. જેમાં તેમની પત્ની અને તેમના દીકરા મૃત્યુ પામ્યા છે..

જ્યારે તેમની દીકરી ની સાથે સાથે તેમના જ પરિવારના અન્ય ચાર લોકો હજુ પણ ગાયબ છે. તેમાંથી કોઈ પણ નહોતો મળ્યો નથી. આઠ વ્યક્તિ માંથી યુવકના ભાભી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરંતુ પરિવારના પાંચ વર્ષનો દીકરાની સાથે સાથે આરીફ શાની પત્નીનો પણ મૃત્યુ થઈ ગયું છે..

ઘટના સામે આવ્યા બાદ યુવક માથું પકડીને રડવા લાગ્યો હતો કે મારો પરિવાર ક્યા છે..? પરતું જવાબમાં માત્ર તેને નિરાશાઓ મળી હતી. જ્યારે પરિવારના ચાર સભ્યો હજુ પણ ગાયબ છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. આ ઘટનાની અંદર ઘણા બધા લોકો ઘાયલ થયા છે..

તો કેટલાક વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યો છે, તો અમુક પરિવારના માત્ર નજીવા સભ્યો બચ્યા છે. આ ઘટનાના પડઘા ખૂબ જ દૂર સુધી પડ્યા છે. દરેક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો છે. તો સાથે સાથે બે લાખ રૂપિયાની સહાય મૃતકના પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્ત થયેલા પરિવર્જનોને ₹50,000 ની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના ઝુલતા પુલ વિસ્તાર પાસે પહોંચ્યા છે. અને તેઓએ ઘટનાનો નિરીક્ષણ પણ કર્યું હતું. રેસ્ક્યુની ટીમ ખડે પગે રાહતની કામગીરીઓ કરી રહી છે. અમે અમારા ન્યુઝ પોર્ટલ ગુજરાત પોસ્ટના માધ્યમથી આ દુઃખદ ઘટનાની ભાવભીની શ્રદ્ધાંજલિ અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીએ છીએ, ભગવાન એમની આત્માને શાંતિ આપે… ઓમ શાંતિ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *