મોરબીમાં જુલતો પુલ તૂટવાને કારણે બનેલા ગોઝારા આ ભયંકર અકસ્માતમાં એકાએક હાહાકાર મચી ગયો છે. ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો છે. તો સૌ કોઈ લોકો ભારે દુઃખી છે. કારણ કે આ ઘટનાની અંદર 140 કરતા વધારે લોકો નામ મૃત્યુ થયા છે. તો ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે..
જે લોકોનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. તે તમામ લોકો પોતાને ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર માનતા હશે, કારણ કે આ કાળમુખી ઘટનાની અંદર તેમનો જીવ બચી ગયો છે. અને અત્યારે માત્ર નવ વર્ષના જ એક બાળકને કારણે તેના સમગ્ર પરિવારની જિંદગી બચી ગઈ છે..
હકીકતમાં આ એક રહસ્યમય કિસ્સો સાબિત થયો છે કે, જેમાં ખુદ ભગવાનની હાજરી પુરાય હોય તેવી રીતે આ પરિવારનો જીવ બચી ગયો છે. આ પરિવાર મૂળ અમરેલીના રાજુલાનો છે. રાજુલાનો આ એક પરિવાર પોતાના પરિવાર સાથે મોરબીના ઝુલતા પુલનો આનંદ માણવા માટે ગયા હતા..
તેઓ જ્યારે ઝુલતા પુલ ઉપર હતા, ત્યારે ખૂબ જ ખુશ ખુશાલ હતા. અને દરેક વ્યક્તિના ચહેરા ઉપર ખૂબ જ ખુશીનો માહોલ દેખાયો હતો. પરિવારના સભ્યએ એક સેલ્ફી પણ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ સેલ્ફીની અંદર પરિવારના સૌ કોઈ લોકોના મોઢા ખૂબ જ રસ્તા ખેલતા નજરે ચડે છે.
અને આ સેલ્ફીની અંદર જ પરિવારનો નવ વર્ષનો દીકરો નેત્ર જોર જોરથી રડતો હતો. કારણ કે આ ઝુલતા પુલ હલવાને કારણે તેને ખૂબ જ ડર લાગતો હતો, પોતાના દીકરાને ડરના માહોલમાં જોઈને પરિવારજનો તાત્કાલિક ધોરણે પુલ ઉપરથી નીચે ઉતરી ગયા, તેઓએ વિચાર્યું કે પુલની અંદર ખૂબ જ ભીડ છે. આ ઉપરાંત તેમના દીકરાને ખૂબ જ ડર લાગી રહ્યો છે.
એટલા માટે આ પુલની ઉપરથી પસાર થવું યોગ્ય નથી. એટલા માટે તેઓ પુલ ઉપરથી નીચે ઉતરી ગયા હતા, અને બહાર આવી ગયા હતા. તેઓ જેવા બહાર આવ્યા કે, તાત્કાલિક ધોરણે આ પુલ તૂટી પડ્યો અને અંદાજે 140 કરતા વધુ લોકોનો આ ઘટનાની અંદર મૃત્યુ થયું છે. જેમાં કોઈ પરિવારે પોતાનો લાડકો દીકરો ખોયો છે..
તો કોઈક પરિવારએ પરિવારના મોટાભાગના સભ્યોને આ ઘટનાની અંદર ગુમાવી દીધા છે. રાજુલાના દુર્લભ નગર વિસ્તાર પાસે રહેતા ભાનુભાઈ મહેતા નામના વ્યક્તિ તેમના સગા સંબંધીઓની સાથે મોરબી ખાતે ગયા હતા. ભાનુભાઈ, કોમલબેન, સાગરભાઇ અને અન્ય બે બાળકો પણ આ પુલ ઉપર હાજર હતા..
પરંતુ નેત્ર રડવા લાગ્યો હતો, એટલા માટે તેઓ એક સેલ્ફી લઈને જ ત્યાંથી બહાર નીકળી ગયા હતા. પરિવારની આ સેલ્ફી અંતિમ બનીને રહી જાય એ પહેલા જ નવ વર્ષના આ દીકરાની અંદર સાક્ષાત ભગવાનનો વાસ હોય તેવી રીતે તેમનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે. આ પરિવાર પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે..
કારણ કે સમગ્ર પરિવારનો જીવ બચી ગયો છે. પરંતુ આ ઘટનાને લઇ ચારે કોર ચકચાર મચી ગયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે જ્યારે કોર મરણ ચીસો અને ચીચયારીઓ સંભળાતી હતી. પોલીસ તંત્ર અને બચાવ કામગીરી અને રાહતના કાર્યની ટીમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ સમયસર અહીં પહોંચી ગયા અને લોકોના જીવ બચાવવામાં પોતાનાથી બનતી તમામ મહેનત કરવા લાગ્યા હતા.
નવ વર્ષના દીકરાએ પુલ ઉપર બીક લાગવાને કારણે બહાર નીકળવાની જીદ પકડી હતી અને પરિવાર આ જીદ સાંભળીને ત્યાંથી બહાર નીકળી ગયો એ પરિવારની ખૂબ જ મોટી કામગીરી હતી. જો આ દીકરો રડ્યો ન હોત અને બહાર નીકળવાની જીદ ન પકડી હોત તો આજે કઈક જુદા જ દ્રશ્યો સામે આવ્યા હોત..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]