Breaking News

યુવકે ટ્રેન નીચે પડતું મુકયા પહેલાનો અંતિમ વિડીયો આવ્યો સામે… અંતિમ શબ્દો સાંભળીને હચમચી જશો..!

દુનિયા માં દિવસ શરૂ થતાની સાથે જ અનેક નાના બાળકો નો જન્મ થતો હશે અને અનેક લોકો સાંજ પડ્યે પરત ભગવાનના સ્થાને પણ જતા હશે પરંતુ દરેક વ્યક્તિના જીવન પૂર્ણ કરવાનું કે થવાનું કારણ જુદું જુદું હોવાનું આપણે સૌ જાણીયે જ છીએ કુદરતી રીતે કઉં આકસ્મિક રીતે થતા બનાવ ને તો કોઈ જ રોકી શકવાનું નથી.

પરંતુ કેટલીક વાર આપણી જ આસપાસ રહેતા સાથે જ દરેક કાર્યો કરતા લોકો કયારેક ખોટું પગલું પોતાના હાથે ભરી લેતા હોય છે ને પોતાની જાત મરજી થી ઈશ્વરને પ્યારા થવાનો પ્રયત્ન પણ કરતા હોય છે ખરેખર જોવામાં આવે તો આ એક બોવ જ દુઃખદ ઘટના જ ઘણી શકાય એમ છે કારણ જાતે જ પ્રભુ ને વ્હાલા થવામાં બીજા દુઃખી થાય છે.

હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે જેની હાલ વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો જામનગરમાં આવેલ  જામવંથલી ગામમાં બે શખ્સોના ખુબ ત્રાસને કારણે આત્મહત્યા કરી રહ્યો હોય એવો પેહલા વીડિયો વાઈરલ કર્યા પછી એકાએક યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક માં હાલ તો ખુબ મોટા પાયે સનસનાટી મચી છે.

આ અંગે ઘટનાની તપાસ અર્થે પોલીસે પણ પોતાની કાર્યવાહીઓ ખુબ તેજ પ્રમાણમાં આગળ વધારી રહી છે જેમાં હાલ તો પોલીસે યુવકના બનાવેલા વીડિયોના આધારે બે આરોપીઓ સામે મરી જવા માટે બળજબરી મજબૂર કર્યાનો ગુનો નોંધી અટકાયત કરી લીધી છે. આ મામલે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર મામલાની વાત કરીયે તો જામવંથલી ગામમાં રહેતા 24 વર્ષીના નીતિન પરમાર નામના યુવાકે ટ્રેન હેઠળ ઝંપલાવી ને આત્મહત્યા કરી લીધી હતી. અને આ ઘટના ખરેખર દરેક લોકો ના હોશ ઉડાવનારી ગણી શકાય એમ જ છે જો કે, આત્મહત્યા કરતા પહેલા મૃતક દ્વારા બનાવાયેલો એક વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે.

આ પ્રકારના કિસ્સા ની જાણ સમગ્ર પંથક માં થતા જામવંથલી ગામના જ બે શખ્સો મૃતકને અવારનવાર પરેશાન કરતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરી રહ્યો છે. પોતાના સાથે જે કાય પણ બન્યું તે અન્ય સાથે ન બને તે માટે ન્યાયની માગ કરી રહ્યો છે. આશરે બે મિનિટનો વીડિયો બનાવી નીતિન પરમારે આત્મહત્યા કરી લીધી હતી.

જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન તેમને મળેલ કંઈક ચોક્કસ બાતમીના આધારે પંચકોશી એ પોલીસ સ્ટાફના સી જે જાડેજા અને કિશોરભાઈ ગાગીયા આરોપીને તુરંત જ પકડી પાડયા હતા.જેમા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા રહેણાંક.જામવંથલી અને સાથે મયુરસિંહ જાડેજા

રહેણાંક. જામવંથલી ને રોજ ચાવડા નામક ગામના પાટિયા પાસેથી આ ઘટનાના આરોપીને પકડી પાડયા છે અને આગળની તમામ તપાસ પશ્ચિમ રેલવે પોલીસ રાજકોટ વિભાગ તરફથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આશા રાખીયે વેહલા માં વહેલી તકે સત્યને સામે લાવી અને યોગ્ય ન્યાય સાથે ઘટનાને અંજામ આપે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *