Breaking News

યુવકે 2 મહિનાથી રીસામણે ગયેલી પત્નીના પિયરયાના ત્રાસથી કંટાળીને રૂમમાં લટકીને કર્યો આપઘાત, જાણીને સૌ કોઈ રડવા લાગ્યા..!!

આજકાલ એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જેના કારણે પરિવારના લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે. અવારનવાર પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ આ ઝઘડાઓ ક્યારેય ગંભીર બની જાય તે કહી શકાતું નથી. આવી એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના જહાજપુરમાં રહેતા યુવક સાથે બની છે.

યુવકનું નામ મુકેશકુમાર ટોક હતું. તે પોતાની પત્ની રૂપમ સાથે રહેતા હતા. મુકેશકુમારની ઉંમર 25 વર્ષની હતી. તેઓ પોતાની પત્ની રૂપમ સાથે જયપુરમાં રહેતા હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા અને લગ્ન બાદ મુકેશ જયપુરમાં જ એક રેસ્ટોરન્ટમાં સેફ તરીકે કામ કરતો હતો અને રૂપમ સી.એ છે, જેના કારણે બંને આર્થિક રીતે સમૃદ્ધ હતા.

બંને જયપુરમાં જ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બંને પરિવારની સહમતિથી આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને પ્રેમ સંબંધમાં પણ સુખીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ મુકેશ રેસ્ટોરેન્ટમાંથી કામ કરીને ઘરે આવ્યો ત્યારે તેમણે જોયું તો તેમની પત્ની ઘરે ન હતી.

જેના કારણે તેણે રૂપમ સાથે સંપર્ક કરવાનો ઘણીવાર કોશિશ કરી પરંતુ રૂપમ સાથે વાત થઈ નહીં રૂપમ ક્યાં ગઈ છે? તેમ વિચારીને મુકેશ ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો. ત્યારબાદ મુકેશને જાણવા મળ્યું કે તે પોતાના પિયરમાં રહેવા જતી રહી છે. રૂપમે મુકેશને જણાવી દીધું હતું કે, તે હવે મુકેશ સાથે રહેવા માગતી નથી.

જેના કારણે પિયર જતી રહી છે. મુકેશએ વારંવાર રૂપમને સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને તેને ઘરે પરત આવવા માટે કહ્યું હતું. પરંતુ રૂપમ માની રહી ન હતી. અચાનક જ મુકેશને છોડીને રૂપમ જતી રહી હોવાને કારણે તે પોતાને સમજાવી શકતો ન હતો. એક દિવસ મુકેશ તેમના ઘરે હતો અને તે ખૂબ જ પરેશાન થઈ રહ્યો હતો.

બીજા દિવસે મુકેશનો નાનો ભાઈ અશોકકુમાર રાધેશ્યામ ટોકે તેમના ઘરે ગયો હતો. તે સમયે તેણે મુકેશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ મુકેશે ઘરનો દરવાજો ખોલ્યો નહીં ત્યારબાદ તેને જરૂર કંઈક બન્યાની શંકા જતા આસપાસના લોકોને ભેગા કર્યા અને મુકેશના રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો.

તે સમયે અશોક કુમારે જોયું તો મુકેશ પોતાની જ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મુકેશે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેણે આપઘાત કરીને પોતાની જિંદગીને પતાવી દીધી ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે જહાજપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

મુકેશના ઘરની તપાસ કરવામાં આવી હતી. તે સમયે મુકેશના ઘરમાંથી એક અંતિમ નોટ મળી આવી હતી અને તેની સાથે તેમના ફોન ચેક કરતા ફોનમાંથી બે વિડીયો મળી આવ્યા હતા. આ વિડીયો સાંભળતા જ પોલીસ અને મુકેશના પરિવારના લોકો ચોકી ગયા હતા. મુકેશ એટલી ચિંતામાં રહેતો હતો. જે જાણીને દરેક લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા.

પોલીસે નોટ વાંચી હતી જેમાં મૂકેશે લખ્યું હતું કે, ‘રૂપમ તારો કંઈ વાંક નથી. તારા પરિવારએ મારી સાથે જે કર્યુ છે, જેના કારણે હું દર સેકન્ડે મરી રહ્યો છું, મારા ગયા પછી તારા પરિવાર પાસેથી હું જવાબ માંગુ છું અને તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે મારું નામ મુકેશ છે, હું આપઘાત કરી રહ્યો છું અને રૂપમના આખા પરિવારને કારણે હું આ પગલું ભરી રહ્યો છું…

રૂપમના પરિવારના સભ્યો મને ખૂબ જ ખરાબ ધમકીઓ આપી છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે, જેના કારણે ખૂબ જ કંટાળી ગયો છું અને દરરોજ દરરોજ હું મરી રહ્યો છું, રૂપમના પરિવારના લોકોએ મારી પાસેથી પૈસા લીધા છે, હું રોજ પૈસા આપતો હતો, જેના કારણે રૂપમ તું પરિવાર પાસેથી પૈસાનો હિસાબ લઈ લેજે..

અને તેમણે પરિવારના લોકો હેરાન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. જેના કારણે મુકેશના નાનાભાઈ અશોક કુમારે રૂપમના પરિવાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. મૂકેશે પોતાની પત્નીના પાછી ન આવવાને કારણે અને તેમના પરિવારના લોકોથી સાસરીયાઓથી કંટાળીને આ પગલું ભરી લીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *