Breaking News

યુવક-યુવતીએ ભાગીને લગ્ન કરી લેતા યુવકના પરિવારે રમ્યો એવો ખેલ કે જાણીને ભલભલા લોકો જોતા ને જોતા જ રહી ગયા…

આજના સમયમાં ક્યારે કોની સાથે શું બની રહ્યું છે તે કહી શકાતું નથી. સમાજમાં રોજેરોજ આવી કેટલીય ઘટનાઓ સામે આવે છે. લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો એકબીજાને નાની નાની વાતમાં છેતરી રહ્યા છે. આવી જ એક પ્રેમ સંબંધમાં છેતરાયાની ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના જંજવાર વિસ્તારમાં બની હતી. બિહારના સારણ જિલ્લાના દરિયાપુર અને વૈશાલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક-યુવતી ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. વૈશાલી જિલ્લાના ઈસ્માઈલપુર ગામનો રહેવાસી યુવક દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવકનું નામ ઋષિકેશ છે.

અને યુવતીનું નામ નેહા છે. બંને ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને બંને વચ્ચે મોબાઈલ દ્વારા વાતચીત થતી હતી. જેના કારણે બંનેનો પ્રેમ સંબંધ ખૂબ જ વધતો ગયો હતો. ત્યારબાદ બંનેએ પોતાના પરિવારના લોકોને તેમના પ્રેમસબંધની વાત કરી હતી પરંતુ ઋષિકેશના પરિવારના લોકોની આર્થિક સ્થિતિ નબળી હતી.

ઘરમાં બરાબર ન હોવાને કારણે નેહાના પરિવારના લોકોએ સંબંધની ના કહી હતી જેના કારણે બંને એકબીજા સાથે જ લગ્ન કરવા માગતા હતા. એક દિવસ બંને ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમી પ્રેમિકાએ યુપીની ગાઝિયાબાદ કોર્ટમાં જઈને કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંનેએ મંદિરમાં પણ લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ જીવનભર સાથે રહેવાના બંનેએ કસમો પણ ખાધા ત્યારબાદ બંને યુવક યુવતીઓ કોઈલા ગામમાં જઈને તેમણે રહેવાનું શરૂ કર્યું હતું. ઋષિકેશના દાદાએ તેમના દીકરાની વહુ નેહા કુમારી સામે હાજીપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નેહાએ તેમના દીકરાનું અપહરણ કર્યું છે તેમ કહ્યું હતું.

જેના કારણે પોલીસ તપાસ કરવા લાગી હતી અને બંને પ્રેમી પ્રેમિકાને શોધી રહી હતી તે સમયે પોલીસે બંનેને કોઈલા ગામમાંથી શોધી કાઢ્યા હતા. અને બંનેની ધરપકડ કરી, ત્યારબાદ ઋષિકેશને તેમના પરિવારના લોકો પોલીસ સ્ટેશનથી છોડાવીને લઈ ગયા હતા પરંતુ નેહાને ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશન રાખવામાં આવી હતી.

ત્યારબાદ તેને જેલમાં લઈ જવામાં આવી હતી. નેહાએ કાયદેસર રીતે લગ્ન કર્યા જેના કારણે નેહા પાસે બધા જ પ્રૂફ હતા પરંતુ ઋષિકેશના પરિવારના લોકોએ આધાર કાર્ડમાં નેહા કરતા ઓછી ઉંમર બતાવી હતી અને નેહાને ફસાવવા માટે અપહરણનો ગુનો કર્યો હતો. ત્યારબાદ નેહાએ પોલીસને તે બંનેના લગ્નના દરેક સબૂતો બતાવ્યા હતા.

જેના કારણે પોલીસ નેહાની વાતમાં વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ નેહાને પણ જેલમાંથી છોડવામાં આવી અને નેહાએ જેલમાંથી છૂટ્યા બાદ દરિયાઈપુર પોલીસ સ્ટેશનમાં તેમના પતિ, સસરા, સાસુ અને તમામ સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ખોટા આરોપો નાખવા માટે નેહાએ સાસરિયાંઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પોલીસને અપીલ કરી હતી. આજકાલ લોકો પ્રેમ સંબંધના નામે ફસાવીને બીજા લોકોને હેરાન કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *