અમુક સમાજમાં પ્રેમ સંબંધને માન્યતા આપી દેવામાં આવે છે, પરંતુ અમુક સમાજની અંદર પ્રેમ સંબંધને ક્યારે પણ સ્વીકાર કરવામાં આવતો નથી અને જો તેમના દીકરા કે દીકરીઓ કોઈ પ્રેમ સંબંધની અંદર જોડાયેલા જણાય તો તેમને પણ ખૂબ જ અઘરી સજાવો આપવામાં આવે છે..
જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ ક્યારે પણ આ કારનામાં કરતા પહેલા 100 વખત વિચાર કરે, પરંતુ દિન પ્રતિદિન આવી ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને ચારે કોરથી હચમચાવી દેતી ઘટનાઓ પણ સામે આવી રહી છે. અત્યારે કાંટી વિસ્તાર પાસે આવેલા સોનવર્ષા ગામની અંદર એક યુવક સાથે ખૂબ જ ગંભીર ઘટના બની છે..
મૂળ 22 વર્ષનો સૌરભ કુમાર નામનો યુવક તેમજ ગામની એક યુવતીને પ્રેમ કરી બેઠો હતો. યુવતી પણ સૌરભને ખૂબ જ પ્રેમ કરતી હતી. બંને વ્યક્તિઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, એક દિવસ રાતના સમયે સૌરભ તેની પ્રેમિકાને મળવા માટે તેના ઘર પાસે આવી પહોંચ્યો હતો..
પરંતુ યુવતીના માતા-પિતાને ખબર પડી જતા તેઓએ આ યુવકને રંગે હાથે પકડી લીધો હતો અને ત્યારબાદ જાહેરમાં તેના કુટુંબના લોકોને બોલાવીને યુવકને ઢોર માર્યો હતો. આ યુવકને એટલો બધો માર મારવામાં આવ્યો કે, તેની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં ન આવે તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતું..
એવામાં યુવતીના કુટુંબીજનોએ આ યુવકના અંગત જગ્યાએ પણ માર માર્યો હતો અને તેની અંગત જગ્યાઓને કાપી નાખી હતી. આ દુઃખ અને દર્દ એટલું બધું થવા લાગ્યું કે, યુવક જાણે ત્યાં જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારજનો એ તેને હોસ્પિટલે પહોંચાડ્યો અને હોસ્પિટલે પહોંચાડ્યા બાદ એ યુવકના પરિવારજનોને ફોન કરીને જાણકારી આપી દીધી કે, તમારો દીકરો હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે..
તાબડતોબ આ યુવકના માતા-પિતા પણ હોસ્પિટલે પહોંચી અને ત્યાં જઈને તેઓએ જોયું તો તેમના દીકરાની હાલત એટલી બધી ગંભીર હતી કે, તેને જોઈને સૌ કોઈ લોકો રડવા લાગ્યા હતા. ડોક્ટરે પણ આ યુવકને બચાવવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ એક દિવસની સારવાર બાદ આ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું..
સૌરભના પિતા મનીષકુમાર એક ધંધાર્થી વ્યક્તિ છે. તેઓએ યુવતીના પરિવારજનોને કહ્યું હતું કે, તમે અમારા દીકરાનો જીવ લઈ લીધો છે. એટલા માટે હવે તમારા ઘરની સામે અમારા દીકરાના અંતિમ સંસ્કાર થશે આ પ્રેમ સંબંધની અંદર તમારી દીકરી પણ જોડાયેલી હતી. છતાં પણ આ પ્રેમ સંબંધનો તમામ દોષનો ટોપલો તેમના દીકરા ઉપર જ ઢોળવામાં આવ્યો છે…
અને તેને ઢોર માર મારીને પતાવી દીધો છે. તેનો જીવ લેવાની તમામ જવાબદારી યુવતીના મા બાપ ઉપર આવી પડી છે. એટલા માટે હવે તમારા ઘરની સામે જ તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે, જેથી કરીને તેમને જન્મો જનમ સુધી યાદ રહે કે તેઓ એક 22 વર્ષના જુવાનજોધ યુવકનો જીવ લઈ લીધો છે..
પરિવારજનોએ અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરી હતી. જેમાં યુવતીના ઘરની સામે જ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ તમામ કામગીરીઓ પોલીસની સુરક્ષાની વચ્ચે થઈ હતી. આ 22 વર્ષના યુવકનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે..
હાલ આ ઘટનાને લઈને ભારે તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો છે. સૌરભના માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નથી. કારણ કે તેમનો એકનો એક દીકરો એવી રીતે મૃત્યુ પામ્યો છે કે, જેના વિશે ક્યારેય કોઈ વ્યક્તિ વિચાર પણ કર્યો હશે નહીં. યુવતીના માતા પિતા તેમજ તેના પરિવારના અન્ય સભ્યો કે જેણે સૌરભ અને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ તમામ સામે કાયદાકીય પગલાથી કાર્યવાહી કરવા માટે સૌરભના પિતા મનીષભાઈએ પોલીસનો સહારો લીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]