ના જાણે આવનારા સમયમાં લોકો શું શું કરી બેસશે તેનું કશું નક્કી કહેવાતું નથી, કારણ કે અત્યારના સમયથી જ લોકો ક્યારેય માનવામાં ન આવે તેવી હરકતો કરવા લાગ્યા છે. અત્યારે એક 26 વર્ષના યશપાલસિંહ નામના યુવક સાથે ખૂબ જ ચોકાવનારી ઘટના બની છે. આ યુવક એક કન્સ્ટ્રક્શન કંપનીની અંદર એકાઉન્ટિંગનું કામકાજ કરતો હતો અને બાલાજી નગરમાં એક રૂમ રાખીને રેહતો હતો..
તેનાં ચાર અન્ય મિત્રો પણ તેની સાથે રેહતા હતા. રવિવારના સમયે તેના સાથી મિત્રો કામકાજ માટે બહાર ગયા હતા, એ વખતે તે ઘરે એકલો હતો અને તેણે એક કલાકની અંદર જ તેના અન્ય સાથે મિત્રોને ફોન કરીને જણાવ્યું કે તેની તબિયત ખૂબ જ બગડી ગઈ છે અને તેને લોહીની ઉલટીઓ થવા લાગી છે..
તેની સાથે રહેતા અન્ય મિત્રો ત્યાં રૂમ ઉપર પહોંચ્યા અને આ યુવકને ફટાફટ હોસ્પિટલે લઈ ગયા હતા. હોસ્પિટલમાં નરસિંહ રામ નામના ખૂબ જ ફેમસ ડોક્ટરે યશપાલસિંહની સારવાર શરૂ કરી અને તેમાં તેઓ એક્સરે અને સોનોગ્રાફી જેવી ચીજ વસ્તુઓ કરાવી હતી અને જોવાની કોશિશ કરી કે, આ યુવકના પેટની અંદર શું ફસાઈ ગયું છે..?
જ્યારે તપાસનો રિપોર્ટ સામે આવ્યો ત્યારે ડોક્ટરને પણ મોતિયા મરી ગયા હતા કારણ કે, આ યુવકના પેટની અંદર એક બે કે ત્રણ નહીં પરંતુ કુલ 56 જેટલી બ્લેડ મળી આવી હતી. આટલી બધી બ્લેડ એક સાથે પેટની અંદર ફસાઈ જવાને કારણે બ્લેડ ના ધારદાર અણીઓ શરીરની અંદર રહેલા અવયવોમાં ચીરા પાડી દીધા હતા..
અને શરીરની અંદર જુદી-જુદી જગ્યાએ કટ લાગી જવાને કારણે ત્યાંથી લોહી નીકળવા લાગ્યું અને આ યુવકને લોહીની ઉલટીઓ થવા લાગી હતી. જ્યારે આ યુવકની સારવાર શરૂ કરી ત્યારે તેનું ઓક્સિજન લેવલ 80 ઉપર પહોંચી ગયું હતું, કુલ સાત ડોક્ટરોની ટીમ ભેગી મળીને ત્રણ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું ત્યારે આ યુવકનો જીવ બચ્યો છે..
અને તેના પેટમાંથી કુલ 56 જેટલી બ્લેડને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી. આ એક ખૂબ જ સાહસિક ભર્યું કામ હતું. જ્યારે શરૂઆતમાં ડોક્ટરને ખબર પડી કે, આ યુવકના પેટની અંદર 56 બ્લેડો ફસાઈ છે, ત્યારે ડોક્ટર પણ માથે હાથ મૂકીને વિચાર મુકાઈ ગયા કે એવું તો શું થયું હશે કે એક સાથે 56 બ્લેડ આ યુવકના પેટની અંદર ઘૂસી ગઈ છે..
તાત્કાલિક ધોરણે અન્ય સવાલો પૂછ્યા વગર જ ડોક્ટરે સારવાર શરૂ કરી દીધી હતી. આ યુવકના ઓપરેશન બાદ તેને પૂછવામાં આવ્યું કે, તેના પેટની અંદર એક સાથે 56 જેટલી બ્લેડ શા માટે મળી આવી છે અને તેના પાછળ કયુ કારણ જોડાયેલું છે. ત્યારે તેણે કહ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો..
અને એક દિવસ તેનું મગજ ઉપરથી કાબુ હટી ગયું અને તે ઘરની અંદર તોડફોડ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેણે ઘરમાં પડેલા ત્રણ બ્લેડના આખે આખા પેકેટને બે ભાગમાં તોડી નાખ્યા અને ત્યારબાદ તેણે આ પેકેટ ખાઈ લીધા હતા. પેટની અંદર કવર સાથે ગળી ગયેલી આ બ્લેડનું કવર પચીને બહાર નીકળી ગયું હતું..
જ્યારે બ્લેડ ખૂબ જ જોરદાર હોવાને કારણે અંદરના વાયુઓને ઈજા પહોંચાડવા લાગી હતી અને તેને પેટમાં દુખાવો થવા લાગ્યો એટલા માટે સારવાર લેવાની ફરજ આવી પડી હતી. જ્યારે યુવકના મોઢેથી આ કારણ સાંભળ્યું ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોને ટાંટિયા થરથર ધ્રુજી ગયા હતા કે..
આવું કોણ વ્યક્તિ પગલું ભરી લે કારણકે ગમે તેવી મુશ્કેલીઓ આવી પડીએ છતાં પણ આવું પગલું ક્યારેય પણ ઉઠાવવું જોઈએ નહીં. કારણ કે જીવને જોખમ રહેતું હોય છે. આ યુવકના પરિવારજનોને જ્યારે ખબર પડી કે યશપાલસિંહ એ એક સાથે 56 બ્લેડ ગળી જઈને પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો છે..
ત્યારે તેઓ પણ તેમના દીકરાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત થયા હતા અને તાબડતો હોસ્પિટલે પહોંચી ગયા હતા. અગાઉ પણ આવી ઘણી બધી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેનાથી સૌ કોઈ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]