જીવનમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલા જ રહે છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિની અંદર સત્યની રાહ પર ચાલીને દરેક મુસીબતોનો સામનો કરવો તેને જ સાચુ જીવન કહેવાય છે, જે વ્યક્તિ સુખમાં અતિશય આનંદમય બની જાય તેમજ દુખમાં ખૂબ જ ઊંડે નિરાશામાં ચાલી જાય તેવા લોકો ક્યારેય પણ જીવનનો રસ બરાબર માણી શકતા નથી..
અત્યારે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગયેલા એક કરોડપતિ યુવકે મચ્છર મારવાની દવા પીઈને આપઘાત કરી લેવાનો બનાવો સામે આવ્યો છે, આ બનાવ સામે આવતાની સાથે જ પરિવારજનો માથે હાથ લઈને રડવા લાગ્યા હતા, આ ઘટના કુમકુમ વિલા પાર્કની છે, અહીં ધર્મેન્દ્ર શર્મા નામનો યુવક તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં ધર્મેન્દ્રના માતા પિતા તેમના ધર્મેન્દ્રની પત્ની અને ધર્મેન્દ્રના બે નાનકડા બાળકોનો સમાવેશ થાય છે, જ્યારથી ધર્મેન્દ્રના લગ્ન થયા છે, ત્યારથી જ ધર્મેન્દ્ર અને તેની પત્ની હેમાલી બંને વચ્ચે નાની નાની બાબતોને લઈને પણ લડાઈ ઝઘડાવો થવા લાગતા હતા. એક દિવસ ખૂબ જ આગળ વધી ગયો અને હેમાલી તેના સાસરે થી તેના પિયરે જવા નીકળી પડી હતી..
પતિ અને પત્ની વચ્ચેનો લડાઈ ઝઘડો હવે બંનેને છૂટાછેડા કરવા પર પણ મજબૂર કરી દીધા હતા, છેલ્લા કેટલાક સમયથી હેમાલી તેના પિયરમાં રિસામણે રહેવા માટે ચાલી ગઈ હતી. ત્યારે ધર્મેન્દ્રની પત્નીને ઘણી બધી વાર પરત આવી જવા માટે જણાવ્યું હતું, કારણ કે સમાજના ઘણા બધા લોકો આ ઘટનાને લઈને ધર્મેન્દ્રની મજાક મશ્કરી કરી રહ્યા હતા..
પરંતુ ધર્મેન્દ્ર આ બધી બાબતો સહન કરતો રહ્યો અને તેની પત્ની ચારથી રિસામણે ચાલી ગઈ હતી, ત્યારથી ધર્મેન્દ્ર ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો, એક દિવસ તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને મચ્છર મારવાની દવા પીઈને આપઘાત કરી લીધો હતો. લાંબો સમય સુધી પણ ધર્મેન્દ્ર તેના રૂમમાંથી બહાર ન આવતા ધર્મેન્દ્રના માતા પિતાએ દરવાજો કઢાવવાની કોશિશ કરી હતી..
પરંતુ ધર્મેન્દ્રએ દરવાજો ખોલ્યો નહીં જ્યારે પાછળની બાજુની માંથી બારીમાં જોવાની કોશિશ કર્યું હતું, ધર્મેન્દ્ર રૂમની અંદર મૃત હાલતમાં જોવા મળ્યો હતો, દરવાજાને તોડી નાખવામાં આવ્યો અને ધર્મેન્દ્રની નજીકની હોસ્પિટલ માટે ખસેડવામાં લઈ જવામાં આવતો હતો. પરંતુ ડોક્ટરે પણ ધર્મેન્દ્રના માતા-પિતાને જણાવી દીધું કે આ યુવકનું મૃત્યુ થઈ ગયું છે..
અને તેનું મૃત્યુ મચ્છર મારવાની દવા પીઈ જવાને કારણે થયું છે, આ ઉપરાંત તેની રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી. જેને વાંચીને સૌ કોઈ લોકો સમસમી ઉઠ્યા હતા. આ અંતિમ નોટની અંદર લખ્યું હતું કે, તેની પત્ની હેમાલી તેને છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ હેરાન પરેશાન કરી રહી હતી..
આ સાથે સાથે મકાન અને જમીનના દસ્તાવેજને પણ હેમાલી પોતાના નામે કરવાની ધમકીઓ આપતી હતી, આવી બધી બાબતોથી કંટાળી જઈને તેણે આ અંતિમ પગલું ભર્યું છે, અને આ ઘટના પાછળ હેમાલી જવાબદાર છે. તેમ જણાવીને આ યુવકે મોતને વ્હાલું કરી લીધું હતું, આ અંતિમ નોટ સાંભળીને ત્યાં ઉભેલા લોકો પણ સમસમી ઊઠ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]