વ્યાજે પૈસા લેવાનો સિલસિલો હજુ પણ કેટલાક લોકો યથાવત રાખી રહ્યા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય અને અતિશય પૈસાની જરૂર પડે ત્યારે તે અંતે આજે પૈસા લેવા માટે નીકળી પડે છે. તે એક પણ વાર વિચારતો નથી કે ત્યાં જે લીધેલા પૈસા નું ચકરડું એટલું બધું ભયંકર છે કે તેની અંદર ઘુસ્યા બાદ કોઈ વ્યક્તિને તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે..
ઘણા બધા પરિવારજનો વ્યાજના ચક્કરની અંદર ફસાઈ ગયેલા હોય છે. અત્યારે વ્યાજે પૈસા આપતા એક શેઠ સાથે ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની છે. આ શેઠ અંબિકા નગર વિસ્તારમાં પોતાની દુકાનમાં બેઠક પર બેસીને પૈસા જોઈએ એ વ્યક્તિને પૈસા વ્યાજે પૂરા પાડે છે. એક દિવસ સવારના સમય જ્યારે તેઓએ તેમની દુકાનમાં શટર ખુલી અને જોયું તો તેમને બેઠક ઉપર એક પત્ર મળી આવ્યો હતો..
આ પત્રને કોઈ વ્યક્તિએ નીચેથી સરકાવીને દુકાનની અંદર નાખી દીધો હોય તેવું લાગતું હતું. આ પત્ર જ્યારે તેઓ વાંચવાનું શરૂ કર્યું ત્યારે વાંચતા વાંચતા જ આ શેઠ ગળા ફાડીને રડવા લાગ્યા હતા. આ પત્રની અંદર એવું લખ્યું હતું કે, તેમને ખૂબ જ પછતાવો થયો હતો. આ ઘટના વિશે જ્યારે સેઠના સગા ભાઈએ પૂછ્યું કે, તમે શા માટે રડી રહ્યા છો અને આ પત્રની અંદર શું લખ્યું છે..?
ત્યારે તેઓ જણાવ્યું હતું કે, તેઓએ આજથી પાંચ વર્ષ પહેલા મિનેશ નામના એક યુવકને દસ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. એ રૂપિયાનો સમય પણ પૂર્ણ થઈ ગયો હતો. છતાં પણ મીનેશે વ્યાજની રકમ પણ ચૂકવી નહીં અને મુદ્દલ રકમ પણ ચૂકવ્યા હતા નહીં, એટલા માટે શેઠે તેને ધાક ધમકીઓ આપવાની પણ શરૂ કરી દીધી હતી..
અને કોઈપણ રીતે તેની પાસેથી પૈસા પડાવવા માટે ઘણા બધા લોકોને પણ તેની પાછળ ગોઠવી દીધા હતા. એ વખતે તેને જણાવ્યું હતું કે, તેની બહેનના લગ્ન હોવાથી તેને દસ લાખ રૂપિયા જોતા છે. આ ઉપરાંત તેઓ જ્યારે પૈસા લઈને ઘરે જતો હતો. ત્યારે આ પૈસા તેની પાસેથી કોઈ વ્યક્તિ જુટવીને ચાલ્યું ગયું છે..
પૈસાની ચોરી થઈ જતા તેના ઘરે આવેલો લગ્ન પ્રસંગ પણ અટકી પડ્યો હતો. અને તે શેઠને પૈસા આપવામાં પણ અસમર્થ રહ્યો હતો. પરંતુ એ વખતે તેની આ બધી વાતચીત આજે પૈસા આપનાર શેઠને ખોટી લાગી હતી. તેઓ વિચારતા હતા કે, મિનેશ આ પૈસા વાપરી ગયો છે. અને તે મને પૈસા આપવા માંગતો નથી..
એટલા માટે આ બહાના બાજીઓ ચલાવી રહ્યો છે, આ પત્રની અંદર લખ્યું હતું કે, એ વખતે તેની પાસેથી રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. પરંતુ તેની પત્ની ખૂબ જ ભણેલાને હોશિયાર વ્યક્તિ છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામકાજ કરે છે. અને આ કંપનીમાંથી તેને જેટલા રૂપિયાનો પગાર મળ્યો એ તમામ રૂપિયાની સાચવણી કરીને તેને દસ લાખ રૂપિયા અને આ રૂપિયાનું વ્યાજ પણ એકઠું કરી લીધું છે..
એ વખતે હું બિલકુલ સાચો હતો છતાં પણ તમે મારી સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો. અને મને માર પણ મારવામાં આવ્યો હતો. આ સાથે સાથે મને ખૂબ જ હેરાનગતિ પણ પહોંચાડવામાં આવી હતી. હવે મારી પાસે પૈસા આવી ગયા છે. અને હું તમને આપવા માગું છું. તમે મારા ઘરે પહોંચી જજો હું તમને તમારી બધી જ રકમ પૂરી પાડી આપીશ..
બસ આ શબ્દો સાંભળીને સેઠને ખૂબ જ રડવું આવી ગયું હતું. તેવો અંદરો અંદર વિચારવા લાગ્યા કે, તેમને પૈસાની કોઈ તાણ પણ નથી તેઓ ખૂબ જ પૈસા વાળા છે. પરંતુ તેમના કારણે એક મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. એ સમયે માનવતાથી તેને સાથ સહકાર પૂરો પાડવાને બદલે આ શેઠે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું..
એ બદલ તેમને અત્યારે ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે. અને તેમની આંખમાંથી આંસુ પણ નીકળી ગયા હતા. તેઓ બીજે દિવસે તરત જ મીનેશના ઘરે પહોંચ્યા અને જણાવ્યું કે, એ પૈસાની રકમ હવે તેમને જોતી નથી. તેઓએ રકમને ઘણા સમયે પહેલા ભૂલી ગયા છે. અને અત્યારે તેઓ તેની માફી માંગી રહ્યા છે.
તેમને ખૂબ જ પસ્તાવો થયો છે કે, જે વ્યક્તિ ખૂબ જ સારા સ્વભાવનો છે. તેની સાથે જ તેઓએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. આજકાલના સમયમાં આવી ઘટનાઓ છાશવારે સામે આવે છે. પરંતુ આવી માનવતા અને કરૂણતા ભરી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે આપણે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જઈએ છીએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]