શહેરોમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. ગુનાખોરી થતા લોકો એકબીજા સાથે દુશ્મનાવટ પતાવી રહ્યા છે. બીજા લોકો પાસેથી લીધેલા પૈસાને પરત ચૂકવવાને બદલે તેમનો જીવ લઈ રહ્યા હોય છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલા ચેખલા ગામમાં બની હતી.
ચેખલા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે દર્દનાક ઘટના ઘડી નાખવામાં આવી હતી. વૃદ્ધ વ્યક્તિ ઘણા સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જેને કારણે તેઓએ ચોકીદારનું કામ કરીને એક એક પૈસો ભેગો કરીને પૈસા ભેગા કર્યા હતા. તેના પર બે યુવકોની ઘણા સમયથી નજર હતી.
આ ચોકીદાર સોનાની બુટ્ટીઓ અને હાથમાં સોનાની વીંટીઓ પહેરતા હતા. જેના કારણે બે યુવકો તેમની પાછળ પીછો કરીને તેમની દરેક હરકતો પર ધ્યાન રાખતા હતા. જેમાંથી એક યુવકનું નામ વિહાભાઈ ચુનારા હતું. તેમણે ચોકીદાર પાસેથી 1,30,000 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. પોતાની વાતોમાં ભોળવીને વૃદ્ધ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા.
અને વ્યાજના રૂપિયા પરત ન આપવા પડે તે માટે વિહાભાઇએ તેમના બીજા મિત્ર અરવિંદજીને પણ પૈસાની જરૂર છે તેમ કહીને ફરીથી 1,50,000 રૂપિયા ચોકીદાર પાસે માગ્યા હતા પરંતુ ચોકીદારએ આપવાની ના પાડી હતી. જેના કારણે ગુસ્સે થઈને વિહાભાઈએ વ્યાજના પરત પૈસા ન આપવા પડે તેને કારણે પોતાના મિત્ર સાથે મળીને એક દિવસ તેઓ ચોકીદાર પાસે ગયા હતા.
તેણે પોતાની વાતમાં ચોકીદારને જાળવી રાખ્યા હતા. તે સમયે ચોકીદારને પાછળના પીઠના ભાગેથી વિહાભાઈના સાથે આવેલા મિત્રોએ ધાર્યું મારી દીધું હતું જેના કારણે ચોકીદાર ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. થોડા સમય બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ તમામ કાવતરું ઘણા સમય પહેલા કરી નાખ્યું હતું.
ટીવીમાં આવતી સિરિયલો જોઈને બે યુવકોએ આ માસ્ટર પ્લાનિંગ કર્યું હતું. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર તપાસ હાથ ધરીને બંને યુવકોને શોધવાની તપાસ ચાલુ કરી હતી. વૃદ્ધ વ્યક્તિ સાથે આવી જીવલેણ ઘટના બની જતા દરેક લોકો ખૂબ જ ચોકી ગયા હતા. આજકાલ અવનવી સીરીયલો જોઈને લોકો ગેરમાર્ગે પ્રેરાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]