જ્યારે પરિવારની જરૂરિયાતો વધારે થઈ જાય તેમજ નોકરી ધંધામાંથી કમાણી ખૂબ જ ઓછી હોય ત્યારે ઘર ચલાવનાર વ્યક્તિ ઉપર ખૂબ મોટી આફત આવી પડતી હોય છે. કારણ કે આજકાલની આગળ વધતી જતી દુનિયાની બરોબરી કરવા માટે ખૂબ વધારે પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. તેમજ આજકાલ સમાજમાં એકબીજાની હરોળમાં આગળ ચાલવા કેટલાય લોકો ન કરવાનું કામ પણ કરી બેસે છે…
જ્યારે પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઘર ચલાવનાર મોભીને પૈસા વ્યાજ લેવાની પણ ફરજ પડતી હોય છે. જો કોઈ કારણસર વ્યાજે લીધેલા પૈસાને સમયસર ન ચૂકવી શકે તો અંતે તેઓને એવું પરિણામ ભોગવું પડે છે કે જેની ન પૂછો વાત. મહેસાણાના વિસનગરમાંથી એક યુવકે પૈસા આજે લીધા હતા..
પરંતુ એ પૈસાને સમયસર ચૂકવી ન શકતા તેને હાલ ખૂબ જ માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ યુવક ગોવિંદ ચકલા ભાટાવાળા વિસ્તારની અંદર ત્રણ દરવાજા ટાવર પાસે એક ફૂલની દુકાન ચલાવે છે. તેણે ખૂબ વધારે જરૂરિયાત ઊભી થતા ફાયનાન્સર પાસેથી છ લાખ રૂપિયા અઢી ટકાના વ્યાજ દર સાથે લીધા હતા..
આ તમામ પૈસા તેણે બેંકના એક ચેક મારફતે મળ્યા હતા. આ પૈસાને તેણે એક વર્ષ સુધી ચૂકવ્યા હતા. તેણે જ્યારે ફાઇનાન્સર ને પૂછ્યું કે, હવે મારે કેટલા રૂપિયા આપવાના બાકી છે..? ત્યારે ફાઇનાન્સરે કહ્યું કે, હજુ તો તારે ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે. કારણકે અમે તો 30% એ લોકોને વ્યાજે આપીએ છીએ..
એટલે કે હજુ તારા પાસેથી ₹12,00,000 લેવાના બાકી છે. એવું કહીને તેની પાસેથી લખાણ પણ લેવરાવી લીધું હતું. હકીકતમાં ફૂલની દુકાન ચલાવનારા વેપારીએ છ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ એક વર્ષના પૈસા ચૂકવ્યા બાદ પણ હજુ તેને લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. એવું કહેતા જ તેને એકાએક ધ્રાસકો લાગ્યો હતો..
તેણે વિચાર્યું કે, હવે હું આ પૈસા કેવી રીતે ચૂકવીશ તે મનોમાન ખૂબ જ ગુંચવાવા લાગ્યો હતો. આ ઉપરાંત ફાઇનાન્સરે જણાવ્યું કે, જો તું પૈસાનો આપે તો હું તને શાંતિ મારી નાખીશ તેમજ તારી પત્ની અને બાળકોને પણ ઉપાડીને લઈ જઈશ. આવી ધમકીઓ આપતા આ ફૂલનો વેપારી ખૂબ જ ચોંકી ગયો હતો..
તેને અન્ય બે લોકો પાસેથી પૈસા આજે લઈને આ ફાઇનાન્સ ના રૂપિયા ચૂકવી દીધા હતા. પરંતુ આ બંને વ્યક્તિએ પણ ખૂબ જ ઊંચું વ્યાજ લેતા આ વેપારી હવે વ્યાજના ચક્રમાં ઊંડોનો ઊંડો ફસાઈ જતો હતો. રોજ રોજ મળતી ધમકીઓથી કંટાળીને અંતેથી એક ગોડાઉનમાં ગયો અને ત્યાં ઝેરી દવાના ઘૂંટડા પીને આપઘાત કરી લીધો હતો.
તેણે કદાચ આ વાતની જાણ અન્ય કોઈ વ્યક્તિને કરી હોત તો તેનું કોઈ ચોક્કસ નિવેડો આવી શકે પરંતુ તેને આપઘાત કરી લેતા તેના બાળકો અને તેની પત્ની સહિત સમગ્ર પરિવાર નોંધારો થયો છે. પોલીસે ઊંચું વ્યાજ લેનાર અને ધમકીઓ આપનાર વ્યક્તિઓ સામે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]