Breaking News

વ્યાજના ચકરડામાં ફસાયેલા પિતાએ તેની 2 વર્ષની દીકરીને ભેટીને મોતને ઘાટ ઉતારી દીધી, અને પછી થયું એવું કે જાણીને અંધારા આવી જશે..!

અત્યારે એક સગા પિતાએ તેની લાડકી દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવને સાંભળ્યા બાદ તમારા પણ રુવાટા એકા-એક બેઠા થઈ જશે અને તમારા મનમાં પણ ગુસ્સાનો જુવાળ જાગી જશે કે, આખરે આ કેવો વ્યક્તિ છે કે તેણે પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે..

આ મામલો બેંગલોરનો છે. પરંતુ તે ગુજરાત સાથે જોડાયેલો છે. મૂળ ગુજરાતી 45 વર્ષનો રાહુલ પરમાર નામનો એક વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષથી પોતાની પત્ની ભવ્યા અને તેની બે વર્ષની દીકરી સાથે બેંગ્લોરમાં રહેતો હતો. છેલ્લા 15 દિવસથી તે પોતાની દીકરી સાથે ઘરેથી ગાયબ થઈ ગયો હતો..

જેની ફરિયાદ ભવ્યા બેને પોલીસ સ્ટેશનમાં જણાવી હતી કે, રાહુલ પરમાર તેમની દીકરીને લઈને ઘરેથી ગાયબ થઈ ગયો છે. તે સવારે દીકરી માટે સ્કૂલ શોધવાના બહાને નીકળી ગયો હતો. પરંતુ ત્યારબાદ તે ઘરે પરત આવ્યો નથી. જાણકારી મળે છે એ મુજબ રાહુલ તેની દીકરીને મારી નાખવા માંગતો હતો અને પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવા માંગતો હતો..

પરંતુ તેણે ઘણી બધી વાર વિચાર્યું છતાં પણ તેને જીવ ટૂંકાવાની હિંમત ચાલી નહીં. તે વારંવાર વિચારતો હતો કે, જો તે પોતાની ઘરે પરત ચાલ્યો જશે તો લેણાદાર તેને ખૂબ જ હેરાન પરેશાન કરી મૂકશે, એટલા માટે તે ઘરે જવા માંગતો હતો નહીં અને બેંગ્લોરો ના આસપાસના વિસ્તારમાં પણ ચક્કર લગાવવા લાગ્યો હતો.

તેની દીકરીને સાથે લઈને તે ઘરેથી નીકળ્યો હતો. એટલા માટે તે અવળું પગલું ભરી શક્યો નહીં. આ ઉપરાંત તેની પાસેથી ખાવા પીવાના પૈસા પણ પૂરા થઈ ગયા હતા. તે એક તળાવ પાસે પહોંચ્યો હતો. જ્યાં તેની પાસે રહેલા તમામ રૂપિયામાંથી તેને દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ અને બિસ્કીટ ખરીદ્યા હતા.

તેની દીકરી બપોરના સમય એટલી બધી ભૂખી હતી કે તે જોર જોરથી રડવા પણ લાગી હતી. પરંતુ એ વખતે તેને પાસે દીકરીને ખવડાવવા માટે રૂપિયા ન હોવાથી તેણે ત્યાં ને ત્યાં જ દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાનો નક્કી કરી નાખ્યું હતું. તેણે પોતાની દીકરીને ભેટી લીધી હતી અને એવી રીતે ભેટી કે તેનો દીકરીનો શ્વાસ ધીમે ધીમે રૂંધાવવા લાગ્યો હતો..

અને માત્ર બે મિનિટની અંદર જ આ બાળકીનો જીવ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે આ બાળકીની લાશની સાથે બાદ બીડીને તળાવમાં કૂદી ગયો હતો. દીકરી તો બિચારી જીવ ગુમાવી બેઠી પરંતુ રાહુલ પરમાર નામનો આ વ્યક્તિ ત્યાં બચી ગયો હતો. ત્યારબાદ તે ત્યાંથી ભાગી જઈને રેલવે પાસે પહોંચી ગયો હતો..

ત્યાં તે રેલવે સ્ટેશનમાં ટ્રેન નીચે જઈને આપઘાત કરવા જઈ રહ્યો હતો. ત્યાં પોલીસે તેને પકડી પાડ્યો છે. આ તમામ બાબતોના ખુલાસા તેણે પોલીસની ધરપકડ બાદ કર્યા છે. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા છ મહિનાથી ખૂબ જ અટકતી ભટકતી જિંદગી જીવતો હતો. કારણ કે છ મહિનાથી તેની કોઈપણ પ્રકારની કમાણી થતી હતી નહીં..

આ સાથે સાથે તેને બીટ કોઈનના ધંધામાં પણ ખૂબ જ મોટી નુકસાની કરી હતી. તેને થોડા દિવસ પહેલાં બેંગ્લોરમાં રહેલા પોતાના ઘરમાં સોના ચાંદીના દાગીના ચોરી થયા છે. તેવી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હકીકતમાં રાહુલના ઘરમાંથી કોઈ પણ પ્રકારની ચોરી થઈ હતી નહીં. રાહુલે સોના ચાંદીના ઘરેણાને ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ લીધા હતા..

અને પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવીને ગોળ ગોળ ચકરડે ઘુમાવવાની કોશિશ કરી હતી. રાહુલ એવા તો કયા ચક્કરમાં પડી ગયો હશે કે, તેણે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઉપરાંત પોતે પણ જીવ ગુમાવવા જઈ રહ્યો હતો. તે બેંગ્લોરમાં ટેકનિશિયન તરીકેનું કામકાજ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બેરોજગાર હતો. એટલા માટે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *