છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઘરેલુ કંકાસમાં અથવા તો વ્યવહારુ જીવનમાં થયેલી બોલાચાલીના લીધે તેમજ વ્યાજખોરોના ત્રાસની લીધે થી અનેક વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે. જો પોતાની મૂંઝવણને અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે તો તેનો યોગ્ય હલ નીકળી શકે છે…
પરંતુ આજકાલ લોકો પોતાની મૂંઝવણ એકબીજા સાથે શેર કરવાને બદલે અંદરો અંદર મૂંઝાઈને આત્મહત્યા કરી લે છે.. સુરતમાં એવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક જ્વેલર્સ ના માલિકએ વ્યાજખોરોના ત્રાસ થી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. આ કિસ્સો બનતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
વરાછામાં ક્રિષ્ના જ્વેલર્સ નામની એક સોના ની દુકાન આવેલી છે. જેના માલિકે lockdown ના અઘરા સમયમાં પૈસાની ખાસ જરૂર હોવાથી બે કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. પરતું લોકડાઉન બાદ પણ સોનાનો ધંધો બિલકુલ ઠપ હોવાના કારણે તે બે કરોડ રૂપિયા યોગ્ય સમયે ચૂકવી શક્યો ન હતો…
રોજ રોજ તેને વ્યાજે લીધેલા પૈસાની ચિંતા ઊંઘ ઉડાડી દેતી હતી. પૈસા ચૂકવ્યા નોહતા એટલા માટે છેલ્લા છ મહિનાથી વ્યાજખોરો તેની પાસે રોજ ઉઘરાણી કરવા માટે આવતા હતા.. પરંતુ આટલી મોટી રકમને તે કેવી રીતે ચૂકવશે આ બાબતને લઈને તે હંમેશા ચિંતિત રહેતો હતો.
આખરે આ સમગ્ર માયાજાળમાંથી મુક્તિ લેવાનો ફેસલો કરીને તેણે પોતાની જ દુકાનનું શટર પાડીને ઝેરી દવાના ઘુંટડા પી લીધા હતા. સોનીએ સ્યુસાઈડની કોઇપણ નોટ લખી નથી.. આ ઘટનાની જાણ આસપાસની દુકાન વાળાને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી તેમજ પોલીસે સોનીના પરિવારને જાણ આપી હતી..
પરિવારને આ ઘટનાની જાણ મળતા જ તેઓ પર આફતના વાદળ ઘેરાઈ આવ્યા હતા. ખરેખર તેમના પરિવારના સભ્યોનું રુદન ખુબ જ આકરું હતું. પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે, સોની યુવકને વ્યાજખોરો ખુબ જ પરેશાન કરતા હતા. તેથી તેણે આ પગલું ભરી લીધું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]