વિશ્વની સૌથી મોટી પ્રાચીન શિવલિંગ, જાણો ભોજપુરના અધૂરા ભોજેશ્વર મંદિરનું અદભૂત રહસ્ય

અહિયાં ભોજપુરની પહાડી પર એક અદભૂત અને વિશાળ, પરંતુ અધૂરા શિવ મંદિર છે. આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિર ના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રાચીન શિવ મંદિર નું નિર્માણ પરમાર વંશ ના પ્રસિદ્ધ રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ૧૧૫ ફૂટ લાંબુ, ૮૨ ફૂટ પહોળું તથા 13 ફૂટ ઊંચું સ્થાયી છે.

આ મંદિર ની સૌથી મોટી વિશેષતા છે અહિયાં ની વિશાળ શિવલિંગ,પોતાને અને અન્યને વિશાળ આકાર વાળી આ શિવલિંગ ના કરને ભોજેશ્વર મંદિર ને ઉત્તર ભારત નનું સોમનાથ પણ કહેવામાં આવે છે.સરળ લાલ પથ્થર થી બનેલી આ શિવલિંગ ને એક જ પથ્થર થી બનાવવામાં આવી છે અને તે વિશ્વ ની સૌથી મોટી પ્રાચીન શિવલિંગ માનવામાં આવે છે.

આધાર સહીત શિવલિંગ ની કુલ ઉંચાઈ ૪૦ ફૂટ થી વધારે છે.શિવલિંગ ની લંબાઈ એની ઉંચાઈ ૭.૫ ફૂટ તથા ગોળાઈ ૫.૮ ફૂટ છે. આ શિવલિંગ એક 21.૫ ફૂટ પહોળી જલહરી પર સ્થાપિત છે. મંદિર માં પ્રવેશ માટે પશ્ચિમ દિશા માં સીડીઓ છે.ગર્ભગૃહ ના દરવાજા ની બંને બાજુ નદી દેવી ગંગા અને યમુના ની મૂર્તિઓ લાગેલી છે.

આ મંદિર ને જોતા જ સમાજ આવે છે કે આ માત્ર એક મંદિર જ નહિ, તેના વિશાળ કદ ઉપરાંત પણ આ મંદિર ની ઘણી વિશેષતાઓ છે. અનો વિશાળ પ્રવેશદ્વાર નો આકાર-પ્રકાર વર્તમાન માં ભારત ના કોઈ પણ મંદિર ના પ્રવેશદ્વારો માં સૌથી વધારે વિશાળ છે.એની અંદર સ્થાપિત શિવલિંગ ને જોઇને, પ્રવેશદ્વાર નો આ આકાર પ્રાસંગિક લાગે છે.આ મંદિર ની એક અન્ય વિશેષતા આની ૪૦ ફૂટ ઉંચાઈ વાળા ચાર સ્તંભ છે. ગર્ભગૃહ ની અધુરી બનેલી છત આ ચાર સ્તંભો પર ટકેલી છે.

પ્રાચીન સ્થાપત્ય તેમજ વાસ્તુકલા ની મહાવિદ્યાલય : ભોજેશ્વર મંદિર ની વિસ્તૃત ચબુતરા પર જ મંદિર ના અન્ય હિસ્સો, મંડપ-યોજના થી સંબદ્ધ નકશા થી ખબર પડે છે. આ જગ્યા ની એક અદભૂત વિશેષતા એ પણ છે કે ભોજેશ્વર મંદિર ના ભુવિન્યાસ, સ્તંભ, શિખર, કળશ, તેમજ અન્ય રેખાની આકૃતિઓ જેવી ખડકોની સપાટી પર ઉતરેલા છે.

પ્રાચીન વિજ્ઞાન ના નમુના : પ્રાચીન ભારતીય શિલ્પ અને સ્થાપત્ય કળા ના નિર્માણ ની તકલીફ ચોક્કસપણે અલગ હતી.ઉલ્લેખનીય છે કે પરમાર વંશ ના પ્રતાપી રાજા ભોજ એ આ વિશાળ મંદિર નું નિર્માણ એમના વિખ્યાત ગ્રંથ સમરાંગણસુત્રધાર ના આધારે કરાવ્યું હતું. સમરાંગણસુત્રધાર  ભારતીય વાસ્તુશાસ્ત્ર થી સંબધિત ગ્રંથ છે.

વિવિધ મત-મતો : ઘણા વિદ્વાનો નું માનવું છે કે ભોલેશ્વર શિવમંદિર એક પ્રકાર નું અંત્યેષ્ટિ સ્મારક છે. આ પ્રકાર ના મંદિરો ને સ્વર્ગારોહણ –પ્રસાદ  કહેવામાં આવે છે. આ પ્રકાર ના મંદિરો માં એકલ શિખર ના સ્થાન ની પાછળ ઘટાતા પથ્થર ની સીડીઓ નો પ્રયોગ કરવા માં આવે છે. એના અનુમાન ની અનુસાર રાજા ભોજ એ આ મંદિર ને સંભવત તેમના સ્વર્ગવાસી પિતા સિંધુરાજ અથવા કાકા વાકપતિ મુંજ ના હેતુ દ્વારા બનાવ્યું હશે.

શું કહે છે કિવદંતિયાં : આ મંદિર ના નિર્માણ વિશે બે કથાઓ પ્રચલિત છે. પહેલી  જનકથા ની અનુસાર વનવાસ ના સમયે આ શિવ મંદિર ને પાંડવોએ બનાવડાવ્યું હતું. ભીમ ઘુટણ ના બળ પર બેસીને આ શિવલિંગ પર ફૂલ ચઢાવતા હતા. આ મંદિર નું નિર્માણ દ્વાપર યુગ માં પાંડવો દ્વારા માતા કુંતી ની પૂજા માટે આ શિવલિંગ નું નિર્માણ એક જ રાત માં કરવામાં આવ્યું હતું. જેવી સવાર પડી તો પાંડવ ભાગી ગયા અને મંદિર અધૂરું જ રહી ગયું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment