ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સ સપ્લાય કરતા લોકો નો પર્દાફાશ થવા લાગ્યો છે. ત્યારે વધુ એક પર્દાફાશ આનંદના વલ્લભવિદ્યાનગરમાં થયો છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું હોય એવું લાગે છે, કારણ કે થોડાક સમયથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાંથી અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસે તેમજ નાર્કોટિક્સ વિભાગે પકડી પાડ્યું છે.
અને ડ્રગ્સની લત લાગી ગયેલા યુવાનો ને આ ખરાબ આદત માંથી મુક્ત કર્યા છે. ગુજરાતના આણંદ વલ્લભવિદ્યાનગર કે જ્યાં સંખ્યાબંધ કોલેજો અને શાળાઓ આવેલી છે. વલ્લભવિદ્યાનગરમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વસે છે ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો આ વિદ્યાર્થીઓને ડ્રગ્સ ના રવાડે ચડાવી ને તેઓને આસાનીથી લૂંટવાનો પ્લાન બનાવીને કરોડો રૂપિયાનો ધંધો છેલ્લા એક વર્ષથી કરતા હતા..
જેને પોલીસે પકડી પાડયા છે. વડોદરા પોલીસને માહિતી મળી હતી કે ઓલ્ડ પાદરા રોડ પર આવેલા વિસ્તારમાં આવિષ્કાર કોમ્પલેક્ષ નામના બિલ્ડિંગ ના ભોંયરામાં શાકિબ અને મોહસીના નામના બે ભાઈ બહેન ચરસ અને ગાંજા નો વેપાર કરે છે. આ બંને ભાઈ-બહેનની સાથે સાથે માંજલપુર વિસ્તારનો મિત્ત ઠક્કર અને પાણીગેટ વિસ્તાર ની નૂપુર સહગલ પણ સામેલ હતા..
પોલીસને જાણ મળતા તરત જ તેઓને તરત જ દબોચી લેવામાં આવ્યા હતા. તેઓની ધરપકડ કર્યા બાદ પૂછતાછ કરતાં જણાવ્યું હતું કે તેઓ આણંદના ચકલાસી ગામ ના દિલીપ કાકા પાસેથી ચરસ અને ગાંજા નો માલ લાવતા હતા.. ત્યારબાદ તેઓ 20 જેટલા યુવક-યુવતીઓ ને બેસમેન્ટ ના ભોંયરામાં બોલાવી ત્યાં રસ અને ગાંજા નું સેવન કરાવતા હતા..
ખરાબ લતો પડાવી દીધી હતી ધીમે ધીમે તેઓનું આ ગ્રુપ મોટું થતું ગયું. પોલીસનું માનવું છે કે આ નશાના કારોબાર નું નેટવર્ક ખૂબ જ મોટું છે. પોલીસે આ ગ્રૂપ પાસેથી 565 ગ્રામ ગાંજો અને 10 ગ્રામ ચરસ તેમજ ત્રણ એકટીવા ગાડી અને રોકડ રૂપિયા પણ કબજે કર્યા છે. ચોંકાવનારી બાબતો એવી છે કે આ ચારે ચાર આરોપી ભણેલા-ગણેલા છે.
જેમાં આઈટી મેનેજમેન્ટમાં છે અમિત ઠક્કર કમ્પ્યુટર સાયન્સ કરેલું છે. મોહસીનાએ બીબિએનો અભ્યાસ કરેલો છે. તો નૂપુર સહગલએ પબ્લિક હેલ્થ માં માસ્તર કરેલું છે.
આટલા બધા ભણેલ-ગણેલ હોવા છતાં પણ તેઓ ડ્રગ્સ જેવા કાળા ધંધાઓમાં જોડાયેલા હતા. આ વાતને ગળે ઉતારવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ સત્ય હકીકત છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]