Breaking News

વિધવા માતાને કહ્યું હું 10 મિનીટમાં આવું છું અને 30 મિનીટમાં જ મળ્યા મોતના સમાચાર, પરિવારે એકનો એક દીકરો ખોયો..

ઘણા લોકો એવા હોય છે કે, તેઓ ક્યારેક અન્ય વ્યક્તિ સામે બોલાચાલી કરી બેઠા હોય તો, તેને ભૂલી જવાને બદલે તેને મનમાં દબાવીને બેઠા હોય છે. અને સમય આવતા જ એ પોતાના મનની ભડાશો બહાર કાઢતા હોય છે. સુરતના રાંદેરમાં એક એવો જ કિસ્સો બન્યો છે. સુરતમાં રોજ રોજ ગુનાખોરીની અને ઘટનાઓ સામે આવી રહી છે…

થોડાક દિવસ પહેલા જ સુરતના ધારાસભ્ય તેમજ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ના કાકાની હત્યા થઈ હતી. અને હવે એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં રવિ નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક રવિ અને તેનો પરિવાર રહે છે.

થોડા દિવસો પહેલા રવિના પિતાનું મૃત્યુ થયું હતું. જેના પગલે પરિવારની સમગ્ર જવાબદારી રવિ ઉપર આવી પડી હતી. રવિ કામ પરથી ઘરે આવ્યા બાદ પોતાની વિધવા માતા ને કહ્યું હતું કે મને પચાસ રૂપિયા આપો હું 10 મિનિટમાં જ ઘરે પાછો આવું છું. એમ કહીને તે ઘરે થી નીકળ્યો હતો.

અને 30 મિનિટ પછી ખબર આવી કે રવિ નું મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતા જ રવિના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. રવિ પરિવારમાં મોટો હતો તેથી તે સમગ્ર જવાબદારીને તે જ ઉપાડતો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ તરત જ હત્યાનો ભેદ ને ઉકેલવા માટે કામે લાગી ગઈ હતી.

તપાસ કરતાં જણાવ્યું હતું કે, રવિ ત્રણ મહિના પહેલા અક્ષય નામના એક યુવક સાથે ઝઘડ્યો હતો. આ સમયે અક્ષય રવિને લોખંડના સળિયાથી ઢોર માર માર્યો હતો. વાત મારામારી સુધી પહોંચી ગયા બાદ પણ અક્ષય આ વાતને ભૂલી ગયો ન હતો. અને તેણે રવિ ઉપર ચપુના જીવલેણ ઘા માર્યા હતા.

જેના પગલે રવિ નું કરૂણ મોત થયું હતું. હત્યારાની ઓળખતા જ પોલીસે આ અક્ષય નામના યુવકની ધરપકડ કરી લીધી છે. અને હાલ તેની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ કરી રહ્યા છે. 10 મિનિટમાં ઘરે આવું છું એમ કહીને નીકળ્યા બાદ ૩૦ મિનિટમાં મોતના સમાચાર આવતા જ વિધવા માતા ઢળી પડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *