Breaking News

વિધવા મહિલા રીક્ષામાં ભૂલી ગઈ ઉધાર લીધેલા 2.50 લાખ રૂપિયા, પછી તો રીક્ષા ચાલક જે કર્યું… વાંચો..!

હાલ લુંટફાટ અને ચોરીના કેસ ખુબ જ વધી રહ્યા છે. તમારું ધ્યાન સહેજ પણ હટ્યું એટલે તમે તેના સંકજામાં ફસાઈ જ ગયા તેમ માની લો.. કારણ કે આજકાલના ચોર લુટારાઓ ખુબ જ તાર્કિક બુદ્ધી વાળા હોઈ છે. સામાન્ય માણસને કેવી રીતે જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરી લેવા તે બાબત તેઓ ઘોળીને પી ગયા છે..

પરતું આવા સમયમાં સારા માણસો પણ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હમણાં જ સુરતમાં એક કિસ્સો બન્યો છે. જેમાં રીક્ષાચાલકે પોતાની ઈમાનદારીને લોકો સમક્ષ રજુ કરી છે. હકીકતમાં ડિંડોલીની વિધવા મહિલા BOB બેંકની ભટાર શાખામાંથી રૂ. 2.40 લાખ ઉપાડીને ઘરે જતી હતી.

આ રકમ ખુબ મોટી હોવાથી રોકડા બેગમાં ભર્યા હતા. તેની પાસે પોતાનું વાહન ન હતું એટલા માટે તે રિક્ષામાં સવારી કરી રહી હતી. પરતું કમનસીબે તે બેગ રીક્ષામાં જ ભૂલી ગઇ અને પોતાનું ઘર આવતા રીક્ષામાંથી ઉતરી ગઈ હતી. તેથી તે તરત જ પોલીસ પાસે દોડી ગઈ હતી.

મહિલા ડિંડોલી વિસ્તારમાં રહે છે અને તેમની ઉંમર 66 વર્ષ અને નામ મધુબેન ભીખુ પટેલ છે. તેઓએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એ મુજબ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષા નંબર અને ચાલકનું નામ સરનામું શોધી આઝાદનગરના ઇન્દિરાનગરમાં રહેતા અશોક સુદામ ખરાતના ઘરે પહોંચી ગઇ હતી.

રીક્ષા ચાલક એટલો ઈમાનદાર હતો કે તે આઝાદનગરમાંથી બેગ ખટોદરા પોલીસ મથકે પરત કરવા આવ્યો હતો. જિંદગીમાં એકસામટી અઢી લાખની રોકડ પહેલી વખત જોવા છતાં રિક્ષાચાલકનું ઇમાન ડગ્યું ન હતું. મારી જરૂરિયાત જેટલા રોજના પાંચસોથી છસ્સો કમાઇ લઉં છું, મારી માટે રૂપિયા કરતાં સ્વમાન મોટું છે તેમ કહેતાં પોલીસે પણ રિક્ષાચાલકની ઇમાનદારીને બિરદાવી હતી.

પોલીસ ખટોદરા પહોંચી ત્યારે આ રિક્ષાચાલક ત્યાં પોલીસની જ રાહ જોતો ઊભો હતો. પોલીસની હાજરીમાં વિધવા મધુબેનને તેમની ગુમ થયેલી રોકડ પરત સોંપી હતી. ખુમારી સાથે રિક્ષાચાલકે જણાવ્યું હતું કે આટલા રૂપિયા એકસામટા મેં ક્યારેય જોયા નથી. હું રોજના 500થી 600 રૂપિયા મહેનત કરીને કમાઇ લઉં છું. ખોટા રૂપિયાની મને જરૂર નથી. પોલીસે આ રિક્ષાચાલકની ઇમાનદારીને બિરદાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *