Breaking News

વિધવા મહિલાએ CM ભુપેન્દ્ર પટેલને કરી રજૂઆત અને ૨૪ કલાકમાં પહોચાડી મદદ, જાણો શું હતી તેની રજૂઆત..!

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કામની રીતનો અંદાજ કૈક અલગ જ દેખાઈ રહ્યો છે. તેઓ મુખ્યમંત્રી બનતા વેત જ જનતાના કામોમાં મદદ રૂપ નીવડે તેવા આદેશો આપી દીધા છે. ભુપેન્દ્ર પટેલે તમમા ધારાસભ્યોને પણ જણાવી દીધું છે કે આપડે શાંતિમય રીતે લોકોના હિતમાં જ કામ કરવું છે.

એક વિધવા મહીલાને તેની મુશેકલીઓનું માત્ર ૨૪ જ કલાકમાં નિવારણ લાવી આપીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કામનો એક નવો અભિગમ એલાન કરી દીધો છે. ભરૂચના કાર્યક્રમમાં રજૂઆત કરનાર મહિલાને 24 કલાકમાં મદદ કરી તેમની કાર્યપદ્ધતિ બતાવી દીધી છે.

દુકાનધારકના વિધવા મહિલાને વારસાઈ આપવા રજૂઆત કરી હતી. પણ તંત્રએ મહિલાના બંને બાળકો નાના હોવાથી હક આપવા ઈન્કાર કર્યો હતો પણ સીએમને કરેલી રજૂઆત બાદ વિધવા મહિલાને મોટી રાહત મળી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ભાષણ વખતે વારંવાર કહેતા હોય છે કે જનતાના નાના માં નાના કામો અને વાતોનો અમે ખ્યાલ રાખીશું. ભલે અમે નવા હોઈએ પણ તમારી સમસ્યાનો યોગ્ય નિવેડો લાવવાનો અમે પુરતો પ્રયત્ન કરીશું.અને એજ પગલે ભૂપેન્દ્ર પટેલે એક માનવતા દાખવી ભરુંચની વિધવા મહિલાની વહારે આવ્યા હતા.

ધારાસભ્ય દુષ્યંત પટેલની મદદથી મહિલાએ  મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે સસ્તા અનાજની દુકાનધારક પતિનું કોરોનામાં મરણ થયું છે. આથી તે દુકાનનો વારસાઈ હક મેળવવા માંગે છે પણ સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

2 વખત વિભાગે રજૂઆત ફગાવી તેવી રજૂઆત પણ સીએમ સમક્ષ વિધવા મહિલા કરી હતી. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ મદદની ખાતરી આપી હતી. અને આજે એટલે કે 24 કલાકમાં દુકાનનો વારસાઈ હક મૃતકની પત્નીને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વિધવા મહિલા સહિત તેના 2 બાળકને કોઈ તકલીફ નહિ પડે.

સરકારના આ નિર્ણયના ભારોભાર વખાણ થઈ રહ્યા છે. આ ઉપરાંત ગઈકાલે ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, જે બાદ સંબોધન વખતે તેમની આગવી છટામાં એક નિવેદન આપ્યું હતું અને નવા મંત્રી મંડળને પ્રજા આવકાર આપે અને ભૂલ થાય તો લાફોમારવાની જગ્યાએ શીખવાડે તેવુ રમુજ કર્યું હતું.

સીએમ પટેલના આ નિવેદન બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે, આથી નવા હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધુ હોય, અને કોઈ ભૂલ થાય તો લોકોના લાફા પડે એટલે ઠરી પણ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો,  થોડી ભૂલ થાય તો રસ્તો બતાવશો.

મહત્વનું છે કે નવી સરકારમાં તમામ મંત્રીઑ પણ નવા છે અને થોડા બિન અનુભવી પણ છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા દિવસ થોડા અને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાર્યો છે જેમઆ ગુજરાતના તમામ મંત્રીઑની અગ્નિ પરીક્ષા થવાની છે. અને આથી જ લોકોના કામ વહેલી તકે ઝડપથી આટોપવા અનેક નિર્ણય સરકાર અને મંત્રીઑ દ્વારા લેવાઈ રહ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે અમે ચોક્કસ સફળ થઈશું.

કાઇ ભૂલ હોય તેને સુધારી આગળ વધીશું બસ લોકોનો આશીર્વાદની સતત જરૂર છે. સાથે જ તેમની સલાહને પણ ધ્યાને લેવામાં આવશે.આમ ભરૂચના કાર્યક્રમમાં રજૂઆત કરનાર મહિલાને 24 કલાકમાં મદદ કરી ન્યાય આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલની કાર્યશૈલી કઈક અલગ જ જોવા મળી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *