ધંધો અને રોજગાર માટે ઘણા બધા વ્યક્તિને તેમનું ઘર મૂકવું પડે છે. અમુક વ્યક્તિ એકલા જ અન્ય જગ્યાએ રહીને વ્યાપાર ધંધો ચલાવે છે. અને જે પૈસા કમાય તેનાથી તેમનું ઘર પરિવાર સંસાર ચાલતું હોય છે. તો કેટલાક લોકો કમાવાની વધારે તકો દેખાતા તેમના પરિવાર સાથે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતા રહેતા હોય છે..
વિનોદભાઈ તેમના પરિવાર સાથે આજથી પાંચ વર્ષ પહેલા જ વિદેશમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. વિદેશમાં એક કંપનીની અંદર તેમને ખૂબ જ સારી નોકરી મળી ગઈ હતી અને ત્યાં વધારે પૈસાની કમાણી હોવાથી તેઓ વિદેશમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેઓ વર્ષમાં એક વખત પોતાને વતાને આવતા અને ત્યાં રહેલા ઘરે તેઓ પરિવારજનોની સાથે હળી મળીને રહેતા હતા..
તેઓ વિદેશમાંથી તેમના વતને પરત આવવા માટે ટિકિટો પણ કરી નાખી હતી. અને ત્યારબાદ વતનને આવી જતા તેમણે ઘરની અંદર સાફ-સફાઈ પણ શરૂ કરી હતી. તેઓ વર્ષમાં માત્ર એક જ વખત તેમના ઘરે આવતા હોવાથી બધી જ ચીજ વસ્તુઓની સાફ-સફાઈ કરવી પડતી હતી..
જ્યારે સાફ-સફાઈ ચાલતી હતી ત્યારે ફ્રીજનો દરવાજો ખોલતાની સાથે જ એવી ઘટના બની ગઈ કે સમગ્ર પરિવારને ઘર ખાલી કરીને ત્યાંથી ભાગવું પડ્યું હતું. તેમની પત્નીએ રસોડાની અંદર સાફ-સફાઈ શરૂ કરી ત્યારે ફ્રિજનો દરવાજો ખોલ્યો અને અચાનક જ અંદરથી એ ખૂબ જ મોટો ધડાકો થયો હતો અને તેમની પત્ની ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી..
તેમના આસપાસના પડોશી પણ આ ધડાકાનો અવાજ સાંભળીને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતી વખતે જણાવ્યું કે, ફ્રીજની અંદર પેક થઈ ગયેલો કુલિંગનો ગેસ અચાનક જ ફાટી નીકળતા ધડાકો થયો અને સમગ્ર ફ્રીજ બળીને ખાખ થઈ ગયું હતું. તો તેમના ઘરની બધી જ રૂમની અંદર ધૂળ અને રજકણના પણ થર જામી ગયા હતા..
જ્યાં જુઓ ત્યાં ઉંદરડા અને કબૂતરો દેખાઈ આવતા હતા. આખું ઘર વેર વિખેર થઈ ગયું હતું. આવા ઘરની અંદર રહેવું ખૂબ જ મુશ્કેલ હતું એટલા માટે તેમને ઘર ખાલી કરીને ભાગવું પડ્યું હતું અને ત્યાં પડોશમાં રહેતા તેમના અન્ય કુટુંબી ભાઈઓના ઘરે તેમણે આશરો લીધો હતો. ફ્રીજની અંદરથી નીકળેલા ગેસ તેમની પત્નીના શ્વાસમાં જવાને કારણે તેમની તબિયત બગડી ગઈ હતી..
તેઓ હાલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. જ્યારે તેમના દીકરા અને દીકરી પણ હવે આ ઘરની અંદર રહેવાની મનાઈ કરી રહ્યા છે. આ બનાવ બનતા જ તેમના દીકરાને દીકરી ખૂબ જ ડરી ગયા છે. તેમજ તેમનું ઘર આટલું બધું ભયંકર રીતે ખરાબ થઈ ગયું હતું કે, આ ઘરની અંદર હવે તેઓ રહેવા માંગતા નથી…
આ ઘટના બનતા જ તેમના આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને વિનોદભાઈના પરિવારજનોને મદદરૂપ થયા હતા. કારણકે બિચારા વિનોદભાઈ નો પરિવાર આખા વર્ષ દરમિયાન વિદેશમાં રહે છે. અને વર્ષમાં માત્ર અમુક દિવસો જ તેઓ અહીં રહેવા માટે આવે છે. તેઓએ તેમના ઘરની તમામ જવાબદારી તેમના કુટુંબી ભાઈઓને સોંપી હતી. પરંતુ તેઓએ ક્યારેય પણ વિનોદભાઈના ઘરની દેખરેખ રાખી નહીં જેના પરિણામે આ ઘર વેર વિખેર અને ખંડેર બની જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]