Breaking News

વિચિત્ર બનાવ : ઉંદરે મંદિરનો દીવો લઈને લગાડી દીધી આખા ઘરમાં આગ, 2 લાખ રૂપિયાની નોટ બળીને ખાખ.. વાંચો..!

જુદાજુદા શહેરોમાંથી આગ લાગવાના બનાવો છાશવારે સામે આવતા હોય છે. કોઈને કોઈ માનવીય પ્રવૃત્તિઓના કારણે આગ લાગતી હોય છે. પરંતુ હાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એક ઘરમાં આગ ફાટી નીકળી હતી. અને આ આગ કોઇ માનવીય પ્રવૃત્તિઓના કારણે નહીં પરંતુ એક ઉંદરના કારણે લાગી છે.

ઉંદરનું નામ સાંભળતાની સાથે જ તમે વિચારમાં મુકાઇ જશો કે વળી એક ઉંદર કેવી રીતે આગ લગાડી શકે છે..? અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં એમટીએસ બસ ડેપોની પાછળના ભાગે કર્મભૂમિ સોસાયટી આવેલી છે. જેમાં જૂના કાપડની લે વેચ કરતા વિનોદભાઈ રહે છે. ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ હોવાથી તેઓએ ઘરમાં મંદિરમાં દીવાબત્તી કરી હતી.

તેઓના ઘરમાં ઘરવખરીની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો પણ ઉપસ્થિત હતો. કારણ કે તેઓ કાપડના વેપારી હતા. માતાજીને કરેલો દીવો મંદિરની સામે જગમગ રહ્યો હતો. એ સમય દરમિયાન ઘરમાંથી એક ઉંદરએ દીવાની વાટ અને ખેંચીને દુર ભાગવા લાગ્યો હતો..

ત્યારે દીવાની જ્યોત ઘરમાં રહેલા કાપડ પર પડતાની સાથે જ સમગ્ર કાપડ ધીમે ધીમે બળવા લાગ્યું હતું. અને ઘરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ ગંભીર આગને પગલે સમગ્ર ઘરની ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી. જોતજોતામાં તો મોટાભાગનો સામાન પણ આગની ઝપેટમાં આવી ગયો હતો..

અને સાથે જ ઘરમાં રહેલા બે લાખ રૂપિયા રોકડા પણ સળગી ગયા હતા. જ્યારે ઘરના સભ્યોને જાણ થાય કે ઘરમાં આગ લાગી ચૂકી છે. ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમને કોલ કરીને બોલાવી લીધી હતી. જેથી કરીને આગને કાબૂમાં લઇ શકાય. આ સાથે સાથે આસપાસના પડોશીઓ પણ આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ટીમને મદદ કરી રહ્યા હતા..

હકીકતમાં ઘરમાં રહેલા મંદિરમાં કરેલા દીવાની વાટને ઉંદર ખેંચી ગયો હતો. જેના કારણે સમગ્ર ઘરમાં આગ પ્રસરી ઉઠી હતી. ખરેખર આ એક વિચિત્ર આગનો બનાવ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *