દીકરા કે દીકરીના લગ્ન કરતી વખતે પતિ પત્નીના સંબંધની સાથે સાથે વેવાઈ અને વેવાઈ વચ્ચેના સંબંધો પણ બંધાઈ જતા હોય છે. એક વેવાઈ તેના અન્ય વેવાઈને ડગલેને પગલે મદદરૂપ થતા હોય છે, પરંતુ અત્યારે એક વેવાઈએ તેની વેવાણ સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે, જેને લઈને સમાજમાં ઈજ્જત આબરૂના તો કાંકરા થઈ ગયા છે..
આ ઘટના માલતીપુર પાસેના દેવાડા ગામની છે. આ ગામની અંદર રહેતા દામોદરભાઈ નામના વ્યક્તિએ તેમના દીકરાના લગ્ન વસુધાબેનની એકની એક દીકરી રમીલાના સાથે નક્કી કર્યા હતા. લગ્ન બાદ રમીલા અને તેનો પતિ કિશોર બંને શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. જ્યારે દામોદરભાઈ દેવાડા ગામની અંદર રહીને જીવન ગુજારતા હતા..
તેઓ અવારનવાર તેમના વેવાઈના ઘરે રોકાવા માટે જતા અને ત્યાં તેમની સાથે ખૂબ જ હળી મળીને રહેતા હતા અને એ વખતે જ દામોદર ભાઈને તેમની વેવાણ વસુધાબેન ખૂબ જ પ્રેમ ઉભરાઈ આવ્યો અને ધીમે ધીમે તેઓ તેમની નજીક પણ જવા લાગ્યા હતા. દામોદર ભાઈએ એકપણ વાર તેમના દીકરા અને તેમના દીકરાની પત્ની વિશે વિચાર કર્યો નહીં..
અને તેની સાથે ન કરવાના કારનામાઓ કરવાનો ઇરાદો બનાવી લીધો હતો, એક વખત તેણે તેની નજીક જઈને એકાંતમાં પૂછી લીધું કે, મારે તારા ખોળે દીકરાને જન્મ દેવરાવો છે, તો તું આ બાબતથી રાજી છો કે નહીં.? તો બીજી બાજુ વસુધાબેનને તરત જ તેના વેવાઈને જવાબ આપી દીધો કે, તમે હવે હદ વટાવી રહ્યા છો..
અમારા ઘરની દીકરીને અમે તમારા ઘરે પરણાવી છે. પરંતુ તમે તો એટલા બધા હલકા વિચારો ધરાવો છો કે, તમારા ઘરની અંદર અમારે દીકરી આપતા પહેલા સૌ વખત વિચાર કરવાનો હતો. પરંતુ હવે અમને પછતાવો થઈ રહ્યો છે. જો તમે મારી સાથે આવું ગેરવર્તન કરી રહ્યા છો, તો આવનારા સમયમાં અમારી દીકરી સાથે તમે શું કરશો તેનું નક્કી નથી..
તાત્કાલિક ધોરણે તેમના પતિને પણ જણાવ્યું કે તેમના વેવાઈ દામોદર ભાઈએ તેમની સાથે ખૂબ જ ખરાબ માંગણીઓ કરી છે અને ખરાબ ઈરાદો નાખીને તેમની નજીક આવી રહ્યા હતા. બસ આ સાંભળતાની સાથે જ વસુધાબેને નક્કી કરી નાખ્યું કે, આવા ઘરની અંદર ક્યારેય પણ તેમની દીકરીને આપવી જોઈએ નહીં..
અને તેમની દીકરીને ફોન કરીને જણાવ્યું કે, આપણે એ ઘરે રહેવાનું નથી અને એ ઘરેથી હવે આપણે છુટાછેડા લઈ લેવાના છે. આ વાત ધીમે ધીમે કુટુંબના અન્ય વ્યક્તિ સુધી પહોંચી ત્યારે સમાજ પરિવારમાં તો દામોદર ભાઈના ઇજ્જતના ધજાગરા ઉડી ગયા હતા. તેમનો એકનો એક દીકરો કિશોર શહેરમાં ખૂબ જ સારી નોકરી કરતો હતો..
પરંતુ તેનું પણ લગ્નજીવન તૂટી જવા પામ્યું હતું, કિશોરે તેના પિતાને ઠપકો આપીને જણાવ્યું કે, આ ઉંમરે તમારે ભજન કીર્તન કરવા જોઈએ પરંતુ એ સમયે તમે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે, જેને લઇ આજે મારું લગ્નજીવન તો તૂટી ગયું છે. પરંતુ સમાજમાં પણ મારે નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવ્યો છે..
હવે તમે આવનારા સમયમાં લાંબુ જીવન જીવશો નહીં અને જતા રહેશો પરંતુ મારે તો હજુ આખી જિંદગી સમાજના લોકો વચ્ચે પસાર કરવાની છે. તમારા કારણે મારી ખૂબ જ બદનામી થઈ રહી છે. હકીકતમાં કિશોર માટે દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..
કારણ કે તેના પિતાએ તેના ઉપર આફત નાખી દીધી હતી, જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી જતી હોય ત્યારે સમાજના દરેક લોકો માથે હાથ દઈને વિચારવા મજબૂર બની જતા હોય છે. આ બનાવને પગલે ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]