જીવનમાં દરેક વસ્તુ કે વ્યક્તિની અસલી કિંમત હોવી ખૂબ જ જરૂરી છે, અને વ્યક્તિના મૂલ્યને સમજીને તેમની સાથે વ્યવહાર પણ ચલાવવો પડે છે. અત્યારે એક વ્યક્તિએ એવું મોટું કાળું કારનામું કરી નાખ્યું હતું કે, જેનો કિસ્સો સામે આવતા જ તેમને સમાજમાંથી મોઢું સંતાડવાનો વારો આવી ગયો હતો..
શામજીભાઈ નામના વડીલ વ્યક્તિ તેમના દીકરા પ્રતીકની સાથે પૂજન પાર્ક રો હાઉસમાં રહે છે, શામજીભાઈએ તેમના દીકરા પ્રતીકને તેમના નજીકના સંબંધી રંજનબેનની એકની એક દીકરી શીતલની સાથે પરણાવ્યો હતો, રંજનબેન વિધવા મહિલા છે. રંજનબેન અવાર નવાર તેમની દીકરીના ઘરે રહેવા માટે આવી જતા હતા.
અને ઘણો બધો સમય પણ ત્યાં વિતાવતા હતા, એ સમય દરમિયાન શામજીભાઈને તેમની વિધવા વેવાણ સાથે આંખો મળી ગઈ હતી, તો બીજી બાજુ રંજનબેન પણ તેના વેવાઈની સાથે ખૂબ જ પ્રેમ ભરી વાતો કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે આ વેવાઈ અને વેવાણ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા તેઓ એક પણ વાર તેમના દીકરા અને દીકરીનો વિચાર કર્યો નહીં કે..
તેમના દીકરા દીકરી પતિ-પત્ની છે, અને આવી રીતે આ ઉંમરે એકબીજાના પ્રેમમાં પડવું એ ખૂબ જ ખોટી બાબત કહેવાય, તેઓએ આવી બધી બાબતોનો વિચાર કર્યા વગર એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. વેવાઈ અને તેની વિધવા વેવાણ બંને સાથે રંગરેલીયા પણ મનાવતા હતા..
એક વખત જ્યારે ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં ત્યારે રંજનબેન તેમના વેવાઈને મળવા માટે આવી પહોંચ્યા હતા, શામજીભાઈ અને રંજનબેન બંને એકાંતનો સમય વિતાવી રહ્યા હતા. એ વખતે અચાનક જ પ્રતિક તેની કોઈ ચીજ વસ્તુઓ લેવા માટે ઘરે પરત આવી પહોંચ્યો હતો અને ત્યારે તેણે જોયું તો તેના પિતા અને તેની પત્નીની માતા એટલે કે વેવાઈ અને વેવાણ બંને ખૂબ જ ખરાબ કરતુતો કરી રહ્યા છે..
બસ આ દ્રશ્ય જોતાની સાથે જ પ્રતીકનો પિત્તો છટકી ગયો અને તેણે તેની સાસુ રંજનબેનને જણાવ્યું કે, તમે મહેરબાની કરીને અમારા ઘરની અંદર આજ પછી ક્યારેય પણ પગ મુકતા નહીં, તો બીજી બાજુ પ્રતીકે તેના પિતાને પણ જણાવી દીધું કે, હકીકતમાં દીકરાના લગ્ન જીવનને બચાવીને રાખવાનું હોય પરંતુ તમે મારી જ સાસુ સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે..
કદાચ આ વાત જો વધારે ફેલાઈ જશે તો તેના છૂટાછેડા પણ થઈ શકે છે, એને સમાજમાં સૌ કોઈ લોકોની સામે તેમને મોઢું સંતાડીને ચાલવાનો પણ વારો આવી જશે અને થોડા દિવસની અંદર એવું જ થયું આ વાત આટલી બધી ફેલાઈ ચૂકી કે પ્રતીક માટે સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..
સૌ કોઈ લોકોને મોઢા સંતાડવાનો વારો આવી ગયો હતો, તો શીતલે તો છૂટાછેડા લેવાની વાતચીત પણ કરી નાખી હતી. શામજીભાઈના કારણે તેમના દીકરાનું લગ્ન જીવન તૂટી જવા પામ્યું હતું ,આ ઘટનાને લઇ સમગ્ર સોસાયટીમાં પણ ચર્ચા વિચારણાઓ થઈ જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]