એક બાળકની માતાના મૃત્યુને લઈને છ મહિના પછી અત્યારે ફરી એક વખત હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટના રાજસ્થાનના જયપુરની છે. અહીં શ્વેતા શર્મા નામની 24 વર્ષની એક મહિલાનું મૃત્યુ છ મહિના પહેલા થઈ ગયું હતું. શ્વેતાના લગ્ન પંકજ શર્મા નામના યુવક સાથે થયા હતા..
શ્વેતાના સાસરિયાવાળા લોકોનું કેવું છે કે, શ્વેતાએ ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો છે. જ્યારે શ્વેતાના માતા પિતાનું કહેવું છે કે, તેમની દીકરીએ કોઈ આપઘાત કર્યો નથી. તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. શ્વેતાના પિતા હીરાશંકરભાઈ એ જણાવ્યું કે, જ્યારે એક દિવસે બપોરના ત્રણ વાગ્યે આસપાસ તેમને સૂચના આપવામાં આવી કે શ્વેતાએ ઝેરી દવા પી લીધી છે..
અને તેને શહેરની એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે. ત્યારે તેઓ તેમની દીકરીને મળવા માટે આ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ શ્વેતાના સસરા રજનીશ ભાઈએ જણાવ્યું કે, તેઓ તેમને ટેગુલ હોસ્પિટલ લઈ આવ્યા છે. જ્યાં તેમના ઓળખીતા ડોક્ટર હોવાને કારણે તેમને અહીં સારવાર આપવામાં આવી રહી છે..
પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું. શ્વેતાના પિતા હીરાશંકરભાઈ અજમેરી ગેટ વિસ્તાર પાસે એક વ્યાપાર ચલાવે છે. તેઓએ જણાવ્યું કે, તેમની દીકરીને તેમના સાસરિયાના લોકો શારીરિક અને માનસિક રીતે ખૂબ જ હેરાનગતિ પહોંચાડતા હતા. તેઓ શ્વેતાને અમારી સાથે વાતચીત કરવા ની પણ મનાઈ કરતા હતા..
આજથી સવા એક વર્ષ પહેલા દિવાળીના સમયે ઉપર તેઓ તેમની દીકરીને મળવા માટે ગયા ત્યારે તેમના જમાઈ પંકજ એ તેમને ન કહેવાના શબ્દો કહીને ફરી અહીં આવ્યા તો તમારા ટાંટિયા ભાંગી નાખીશું તેમ કહીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને સાથે સાથે હિરાશંકરભાઈએ જણાવ્યું કે, શ્વેતાને તેના સાસુ સસરા અને તેનો પતિ દહેજની બાબતને લઈને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા..
જ્યારે શ્વેતાનું મૃત્યુ થયું એના માત્ર એક દિવસ પહેલા જ શ્વેતાના સાસરીયા વાળા લોકોએ હીરા શંકરભાઈ ને મેસેજ કરીને જણાવ્યું હતું કે અમે એક સારો ફ્લેટ જોઈ લીધો છે. જેની અમાઉન્ટ તમારે ચેક બનાવીને આપવી પડશે. દહેજની બાબતોને લઈને શ્વેતાને હેરાન પરેશાન કરતા હતા. કદાચ આ હેરાનગતિથી શ્વેતા કંટાળી ગઈ હતી..
અથવા તો તેને આપઘાત કરી લીધો હશે અથવા તો સાસરીયા વાળા લોકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હશે. હજી આ ઘટનાને લઈને કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. શ્વેતાના મૃત્યુ બાદ તેના માતા પિતા માટે દુઃખની આ ઘડી અતિશય મુશ્કેલ બની ગઈ છે. શ્વેતાએ આજથી બે મહિના પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો.
હવે આ બાળકી માતાની છત્રછાયા ગુમાવી બેઠી છે. શ્વેતાના પિતા હીરાશંકર ભાઈએ શ્વેતાના સસરા રજનીશ તેની સાસુ સીમા તેમજ તેની નણંદ અને તેના પતિ સામે તેમની દીકરીનો જીવ લેવાના મામલામાં કેસ કર્યો છે. આ ઘટનાથી દરેક લોકો ખુબ જ દુખી છે કારણ કે તેમના પરિવારની લાડકી દીદરીને ખુબ જ ચોકાવનારં મોત મળ્યું છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]